SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ શકુંતલાની કચા. રાય રાજાની નજીક આવી, અને એક લતાના મૂળમાં જળકુંભ રેડતાં, તેના અવાજને લીધે તે લતાકુજમાંથી એક ભમરા ઉડયા. તે આમ તેમ ભમતાં, શકુંતલાની દષ્ટિને ભ્રાંતિથી કમળ માનતાં અને હાસ્યથી દાંતમાં મચકુંદની ભ્રાંતિ પામતાં, હાથવતી તેને તે વારવાર તાડન કરતી, છતાં પણ તે ભૃંગ, પ્રમાદથી આલિંગન—સ્પ કરનાર પ્રિયતમની જેમ શકુંતલાને અંગે આવવા લાગ્યા. એટલે રાજા, શકુંતલાના અંગ–સંગથી ભ્રમરને વખાણવા લાગ્યા અને તત્ત્વ-વિચારવામાં મૂઢ એવા પેાતાના આત્માને મન્મથને વશ થઇને તે નિંદવા લાગ્યા. એવામાં શકુંતલા મુગ્ધભાવથી લતાકુંજમાં પેસતાં રાજાને જોઈ, વક્રષ્ટિથી તે સ્નેહે જોવા લાગી. અને પાછી વળી કઇંક કપ પામતાં તેણે પેાતાની અને સખીઓને વાત કહી. ત્યારે તે ત્યાં આવતાં રાજાને જોઇ, પરસ્પર હસવા લાગી. જ્યારે રાજા તેના કટાક્ષે હણાતાં, પ્રાણહારી દુસહ દાહ પામી, તરત કહેવા લાગ્યા કે— નિયતપણે હૃષ્ટિના દાહ અનુભવી, આ કામસુભટ પાતે શ ંકરના ઉપાધ્યાયપણાને તરત ત્યાગ કરતાં, આ સુમધ્યા–કૃશાદરીના મધ્યભાગરૂપ આશ્રમ-સ્થાન પામી કટાક્ષરૂપ અનલાસ્ત્ર છે।ડતાં યુવનાને ભસ્મ કરે છે. વળી એ તપસ્વીની પુત્રી હાય, તેમાં તે મને સ ંદેહ છે, અને મારૂ મન વિકાર પામે છે— એમાં કંઈ નિશ્ચય કરી શકાતા નથી.” પછી રાજાએ પેાતાના મિત્રને મુખે તેની સખીને વંશની વાત પૂછતાં, પ્રિયંવદા પાતાની સખીના યથાસ્થિત વૃત્તાંત રાજાને કહેવા લાગી કે " 66 પૂર્વે વિશ્વામિત્ર મુનિ દુષ્કર તપ તપતાં કયાંક જોઇ, ઈંદ્રને વિસ્મય થતાં તે વિચારવા લાગ્યા કે—અહા! એ તપના પ્રભાવથી તે। આ મને ઉત્થાપીને સ્વર્ગનું સામ્રાજ્ય લઈ લેશે, માટે એ પૂર્ણ તપ ન કરે તેટલામાં એને તપમાં વિઘ્ન પમાડવાના કંઇક ઈલાજ કરૂં, કામિનીએ એ પુરૂષ પ્રત્યે અમેઘ કામ
SR No.022672
Book TitleChandraprabhu Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1930
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy