SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિવિલાસ ઉપર રત્નમાળાની કથા. ૨૦૫ માળાએ માયા કરી, દાસીઓને બોલાવી, પણ જવાબ કાંઈ ન મળતાં, તેણે કૃત્રિમ કેપ બતાવતાં કર્કશ વચનથી કહ્યું કે“અરે ! અત્યારે મારા ઉપાનહ કેણ ઉપાડશે?” એમ બોલતાં તે એકલી સુખાસનપર બેઠી અને બહુ ભારે તથા સ્થલ ઉપાનહ પગમાંથી તેણે ભૂમિપર કહી નાખ્યા. ત્યારે ઉપાન ઉપાડનાર કેઈ ન હેવાથી જાણે નિરૂત્સાહ બતાવતાં તેણે પાલખી ઉપાડનારા માણસોને પણ સંજ્ઞાવડે જ ન લેવાને આદેશ કર્યો. તેવામાં રાજાએ વિચાર કર્યો કે–“અત્યારે એની દાસી કેઈ નથી, તે હું જ ઉપાન લઈ લઉં, અહીં કોઈ મને જુવે તેમ નથી. જે એ હું નહિ લઉં, તે અન્ય કેઈ ઉપાડી જશે અને મારે સ્નેહ પણ એના પ્રત્યે જણાઈ આવશે.” એમ ધારી, ઉપાન ઉપાધને રાજા તેની પાછળ તરત દેડ, કારણ કે સ્નેહ એજ હોય છે. ત્યાં મુખ ફેરવતાં ઉપાનહ લાવતા રાજાને જોઈ દક્ષ રત્નમાળા મનમાં બહુજ પ્રદ પામી વળી તે બહુ ભારરૂપ હોવાથી એક હાથે ઉપાડવાને અસમર્થ થતાં રાજાએ એક એક હાથે એક એક ઉપાન ઉપાડયું, તે પણ ન ઉપાડી શકવાથી તેણે તે મસ્તક પર ધારણ કર્યા. કારણકે સ્ત્રીવશ પુરૂષે અકૃત્યને પણ કૃત્ય સમાન સમજી લે છે. પછી ડેક ભારથી વાંકી વળી ગયા છતાં, તેની પાછળજ મંદ પગલે રાજા પૂર્ણ અનુરાગથી તરત આવવા લાગ્યા અને પ્રાસાદના બારણે આવી, પાલખી થકી ઉતરતી રત્નમાળાને જોઈ રાજાએ તરત તેના પગ નીચે ઉપાન મૂકી દીધાં, તે જોતાં રત્નમાળા સંભ્રમથી રાજાને કહેવા લાગી કે –“ અરે ! તમે આ શું કર્યું? આ કામ તે દાસીને કરવાનું હતું શું મારી દાસી જઈને એ ન ઉપાડ આવત? તમે એ અનુચિત કર્યું, જેથી મને બહુ ખેદ થાય છે. આ તે બહુજ અઘટિત થયું.” એમ બોલતી રત્નમાળા ઘરમાં પેઠી અને તેના અનુરાગ-પાલવડે અંતકરણ આકૃષ્ટ થતાં રાજા પણ તેની પાછળ
SR No.022672
Book TitleChandraprabhu Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1930
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy