SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિવિલાસ ઉપર રત્નમાળાની કથા. ર૦૩ દિર કેણે કરાવ્યું હશે અને અતુલ આનંદદાયક સંગતમાં પ્રવીણ એ સ્ત્રીઓ કેણ હશે ? એ રૂપ અને સંગીતથી એ નિશ્ચય થાય છે કે એ માનુષી નહિ, પણ કેઈ દેવજાતિ હશે. અરે ! એ સંગીત કરનાર સ્ત્રીઓ મારી આગળથી ચાલી ગઈ અને ગીતમાં મેહ પામેલ હું એકલે અહીં બેસી રહે. ઠીક છે, એ ફરી પણ અહીં આવશે. એટલે પ્રચ્છન્નપણે જોઈશ.” એમ ધારી રાજા પિતાના મહેલમાં ગયે. ત્યાં તે સંગીત અને સ્ત્રીઓને ચિંતવતાં રાત્રે તેને નિદ્રા ન આવી અને દિવસે રાજ્ય-ચિંતાથી પણ મુક્ત રહે. એવામાં રાજાની કામાવસ્થા જોઈ રવિ પોતે અસ્ત થતાં તેણે કામીના કાર્યમાં મદદ કરનાર રાત્રિને અવસર-અવકાશ આપે. એવામાં રાત્રિરૂપ સ્ત્રીના રાજ્યમાં કઈ પ્રતિભટ નથી.”એમ ધારી સમયજ્ઞ અંધકારરૂપ મંત્રી ભુવનેજરમાં ફરી વળ્યો. ત્યાં મારે સ્વાભાવિક લાવણ્ય છે, મેં તે સ્ત્રીઓ પાસેથી છીનવી લીધેલા નથી.” એમ વિષ્ણુપદ-આકાશને સ્પર્શ કરતાં શશી ઉદય પામે. પછી શરીરની અપટુતાનું બહાનું બતાવતાં સભાજનેને વિસઈ પિતે રાજા પલંગ પર કૃત્રિમ નિદ્રા કરવા સુતે. લેકે યથાસ્થાને જતાં રહ્યાં અને અંગરક્ષકને નિદ્રા આવતાં રાજા ઉઠીને હળવેથી મહેલ થકી નીચે ઉતર્યો એટલે મનમાં ઉત્સાહ લાવી, ઉતાવળે પગલે ચાલતાં પ્રથમની જેમ મંદિર દ્વાર બંધ હોવાથી તે ગઢપર બેઠે. ત્યાં પ્રથમ પ્રમાણે આદિનાથની સમક્ષ કમળ સંગીત કરતી તે સ્ત્રીઓને તેણે જોઈ અને પ્રમોદથી સંગીત સાંભળ્યું. પછી હળવેથી કેટથકી ઉતરી એક સ્થંભને આંતરે રહેતાં તેણે રત્નમાળાને ઉર્વશીની જેમ નૃત્યકરતી જોઈએ જેથી રાજાને તેના પર દુસ્સહ અનુરાગ થયે. તેવું રૂપ અને તેવી કળા કેને ઉન્માદ ન ઉપજાવે ? આ વખતે “જેને માટે આ સમારંભ છે તે રાજા અદ્યાપિ કેમ આવ્યે નહિ? એમ ધારી રત્નમાળાએ
SR No.022672
Book TitleChandraprabhu Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1930
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy