SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર. ત્યાં જઈને પોતે વરશે” એમ સાંભળતાં રાજાએ પ્રભેદ પામીને મુખ્ય અમાત્યને આદેશ કર્યો કે “તમે સાથે જઈને કુમારીને પરણાવે” એટલે હસ્તી, ઘેડા, સુવર્ણાદિક સામગ્રી લઈ, માતપિતાએ પિતે આજ્ઞા કરેલ રાજસુતાને આગળ કરી, તે મંત્રીશ્વર સંકાશ નગર પ્રતે જતાં પથિકેસહિત અને અશ્વોના ખુરથી ઉડેલ રજવડે આકાશને આચ્છાદિત કરતેતે ચાલી નિકળ્યો. તેવામાં કંઈક અનુમાનથી સમજી, વચનથી રાજકન્યાને અનુકૂળ કરી, ભેટીને લલિતા પાછી વળી અને જયરાજને મળતાં પગે બાંધેલ દેરે છે મૂક્તાં મૂળરૂપે તે મિત્ર બની, જરા હસીને કહેવા લાગ્યું કે “સ્વપ્નમાં જોયેલ વસ્તુ હેમિત્ર! તું જ મેળવી શકે, બીજાથી એ કામ ન થાય. પવિત્ર બુદ્ધિને વ્યવસાય તને ભેગ આપનાર થઈ પડ્યો.” ત્યારે રાજાએ કહ્યું કે–એ રાજપુત્રી આ રાજાનેજ લાયક છે, એમ ધારી ગોત્રદેવીએ વખતસર મને એ સ્વપ્ન દેખાડયું હશે. વળી સ્ત્રીત્વ પમાડનાર આ દેરે પણ મને ભારે મદદગાર થઈ પડ્યો. વખતસર એ ભવિષ્યમાં પણ ઉપયોગી થઈ પડશે. માટે હવે ચાલે, મંત્રીની આગળ આગળ જઈએ તેને સાથ તે મંદગામી , આપણે શીઘ્રગામી છીએ.” એમ નિશ્ચય કરી રાજ તે ધીમાન મિત્ર સાથે કુમારીના સૈન્યને ઓળંગી પગે પિતાના નગરે પહેર્યો. ત્યાં પ્રથમની જેમ વિકાર વિના રાજપુત્રીનું આગમન કેઈને ન જણાવતાં તેણે પિતાના રાજ્યની લગામ હાથમાં લીધી. વળી “તે રાજકન્યાના આગમનને હું જાણતા નથી.” એમ બેલતે રાજા તરતજ પૂર્વ દિશામાં શત્રુની સન્મુખ ચાલી નીકળ્યા, અને સતત્ પ્રયાણથી તે ઉત્સાહપૂર્વક શત્રુના નગરે પહોંચે. ત્યાં ચતુરંગ સિન્યથી તે નગરને ઘેરો ઘાલીને રહ્યો. એવામાં અનંગસુંદરીનું સૈન્ય પણ સંકાશ નગરે આવી પહોંચ્યું, અને વૃત્તાંત જાણવામાં આવતાં તે ત્યાં રાજા પાસે પહોંચ્યું. ત્યાં આવાસ દેવરાવતાં મંત્રીશ્વર
SR No.022672
Book TitleChandraprabhu Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1930
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy