SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૩ vv -~-~ ~~ અજાપુત્રના પૂર્વભવનું વૃતાંત. રંજિત થાય. એમ રાજકન્યાને પિતા સાથે એકત્વ પમાડતાં લલિતાએ એકદા એકાંતે તેને પુરૂષના શ્રેષનું કારણ પૂછતાં, તે કાંઈ બેલી નહિ. ત્યારે લલિતા બોલી કે– હે સખી! તેવું કાંઈ ગુપ્ત નથી કે જે પિતાની સ્નિગ્ધ સખીને કહેવાનું ન હોય. પિતાને અભિપ્રાય ન જણાવવાથી તું સખિપણાને કલંક લગાડે છે. કારણ કે સ્નેહીજન પાસે બધી વાત કહેવી જોઈએ.” એમ લલિતાએ કોપના આડંબરથી અનેકરીતે પૂછતાં, અનંગસુંદરી નેહથી પિતાની કથા કહેવા લાગી કે – હે સખિ! એકદા હે વિંધ્યાચલપર ભારે ઉત્સાહથી રમવા ગઈ. ત્યાં કમળસમૂહે મને હર એક સરવર જોતાં જ હું બેભાન થઈ પૃથ્વી પર પદ્ધ ગઈ, એટલે “હું કયાં અને કેણ છું?” એવું મને ભાન ન રહ્યું એમ અકસ્માત્ મને મૂછ આવતાં, સખીઓ દે અને “આ શું થયું?” એમ બોલતી તે પાણી છાંટીને પવન નાખવા લાગી. વળી પાછું પાણી, પવન પવન.” એમ પડત પગલે અત્યંત ખેદ લાવી સખીઓએ ઉપાસના કરતાં, હું તરત સાજી થઈ, ઉજવળ જાતિ મરણ પામી. તેના ચગે મને મારા પૂર્વજન્મની સ્થિતિ યાદ આવી કે પૂર્વજન્મમાં હું આ સરોવરમાં હંસલી હતી અને અત્યંત પ્રેમાળ હંસ મારે સાથી હતે. અમે બને આધિ, વ્યાધિ કે બધા વિના પ્રણયકેપ-તેષથી કીડા કરતા ત્યાં રહેતા હતા. એવામાં સંસારસુખ ભેગવતાં મને ગર્ભ રહ્યો, તે હું શરીરની ચેષ્ટાથી જાણી શકી કે મને પુત્ર થશે. પછી પ્રમદપૂર્વક હું ગર્ભ રક્ષા કરવા લાગી અને સરેવરના કાંઠે મેં માળો બનાવ્યું. અનુક્રમે ત્રણ પુત્રને મેં જન્મ આપે. એટલે સ્વર્ગસુખ કરતાં પણ અધિક સુખ પામતી હું “અહે! મને ત્રણ પુત્રે છે? એમ મનમાં ઉદ્ધત બની ગઈ. મારે સાથી હંસ પણ પુત્રજન્મથી ભારે પ્રભેદ પામતાં મિષ્ટ વચન બોલતે અને ભક્ષ્ય વસ્તુ વારંવાર
SR No.022672
Book TitleChandraprabhu Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1930
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy