SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ હરિણ-શ્રીષેણની કથા. ૧૭૧ ત્યારે સાધુએ આવીને કહ્યું કે ભાજન હાથ ન ચડયું. તેણે કહ્યું—“હું બહાર જવાને તે અસમર્થ છું. તેથી મારો સંથારે ભરાઈ જશે.” એમ આકુળતાથી બાલષિના કહેતાં તેને એકારી આવી, ત્યારે મહાસવિક સરિપુ જુગુપ્સા ન લાવતાં અને અન્ય ઉપાય હાથ ન લાગતાં તેણે તેના મુખ નીચે પોતાને ધર્યો અને કહ્યું કે તમે આ ખેબામાં નિઃશંકાએ વમન કરે.” ત્યાં બાલષિએ માત્ર પાણીનું વમન કર્યું, જ્યારે સાધુને વિચાર આવ્યા કે-અંધારામાં શુદ્ધ ભૂમિકા જોયા વિના આ વમન પરઠવું શી રીતે ?” આથી તે તેમને તેમ પક રહ્યા. તેવામાં ક્રૂર વ્યંતરથી પીડાતાં બાલર્ષિ આકંદ કરતા બોલ્યા કે—“હે મુનિ ! મારાં અંગ તૂટે છે, માટે મર્દન કર.” પણ હાથમાં વમન-જળ હેવાથી તે સાધુથી સંવાહના ન થઈ શકવાથી તે બાલષિ નામ પિકારીને સાધુઓને ઉઠાડવા લાગે તે સાંભળતાં સાધુએ વિચાર્યું કે-“અહો ! મારા છતાં સાધુઓને ઉજાગરે ન થાય તે ઠીક, પણ આ બાજુ અહા! બાલષિ ગાત્ર ત્રુટતાં બાધા પામે છે, વળી ભૂમિ જોયા વિના તે આ પય પરઠાય નહિ અને જળપાનના પ્રત્યા ખાનને લીધે એ મારાથી પીવાય તેમ પણ નથી.” એમ ઘણું ઉપાય વિચારતાં તેણે પોતાની બુદ્ધિથી નિશ્ચય કર્યો કે–અહે તેલની જેમ આ જળ પોતાના શરીરે ચેપી દઉં. એમ કરતાં જતુને વિઘાત નહિ થાય અને સાધુઓને ઉજાગરે પણ કરે નહિ પડે. પછી તે હાથ ખાલી થતાં બાળમુનિનું હું સારી રીતે મર્દન કરીશ.” પૂર્વે રાજ્ય ભેગવતાં ચક્ષકઈમથી તેના અંગે વિલેપન થતું અને હવે મુનિ થતાં કર્મ દેવાને તેમણે વમનજળથી વિલેપન કર્યું. તે જળથી અંતરને કર્માગ્નિ શાંત થતાં, દુર્ગછા રહિત સરિસ્ત મુનિ તે બાલષિને મર્દન કરવા લાગ્યા. આવા તેમના અપૂર્વ વિનયથી મિથ્યાત્વી વ્યંતર પણ રંજિત થઈ,
SR No.022672
Book TitleChandraprabhu Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1930
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy