SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ હરિણ-શ્રીષેણની કથા. ૧૬૩ આજ્ઞા કરી, મુખ્ય દ્વાર પર માંડલિક સામતેને ઉભા રાખ્યા અને કિલાપર ધનુર્ધરેને ચઢાવ્યા, પણ પિતાને બહાર જવાને નિયમ હોવાથી પ્રાસાદાર રહેતાં જ રાજ નગરીની રક્ષા કરવા લાગ્યો. તે વખતે પ્રકારમાં અને બહાર રહેલા સુભટે પરસ્પર તેપના ગેળા અને બાવડે ખૂબ યુદ્ધ કરવા લાગ્યા. ત્યારે વપ્રયંત્રને પ્રતીકાર કરી, હરિષેણે પોતે પોતાના સુભટે કિલ્લો પાડવા મેકલ્યા, અને બાણથી કિલ્લામાં રહેલાઓને તાડન કરતાં, વચમાં અંતર મળતાં શુરવીર સુભટે કિલ્લા પાડવા તૈયાર થયા. વળી તરફની પ્રતળીપર તેણે પિતાનું સૈન્ય મેકર્ભે શૂરવીરેની શીવ્રતા એ વિજયલક્ષ્મીનું કાર્યણ છે. આથી બીજે કયાં અવકાશ ન પામતાં અને ભયાતુર બનેલા ધીર કેટવાળાએ જઈને એ વાત રાજાને નિવેદન કરી, તે વખતે નગરજને હુમલો જોઈ ભય રહિત ભેગા થઈને રાજાને દેષ દેવા લાગ્યા. એમ લેકેને ચોતરફ આકંદ કરતા સાંભળી અને શત્રુન્ય વિસ્તૃત જોઈ પોતાની પ્રતિજ્ઞાને વિચાર કરતાં અન્ય કોઈ પણ ઉપાય ન રહેવાથી સરિત્સત રાજાએ એક વરના બદલામાં રાજ્યપ્રદા દેવીને યાદ કરી, એટલે તરત જ તે દેવી આવીને કહેવા લાગી કે–“હે વત્સ! કહે, હું તૈયાર છું શું કરું?” ત્યારે તેણે અંજલિ જેવ દેવીને જણાવ્યું કે–“હું ત્યારે મારા ભાઈને જોઈશ ત્યારે હું બહાર જઈશ. એ મારી પ્રતિજ્ઞા સાંભળી છલગવેષી શત્રુરાજાએ મારી નગરીને રૂધી છે અને હું રાજા તેની અંદર બેઠે છું, પણ પ્રતિજ્ઞાને લીધે સંગ્રામ કરી શક્તો નથી, તે તમે મારા પર પ્રસન્ન થઈને શત્રુ થકી પર જનેને બચાવે.” રાજ્યપ્રદા દેવી બેલી–હે વત્સ તું મારું વચન સાંભળએ સિદ્ધરાજા કે જેને મેં રાજ્ય આપેલ છે અને તેનું જ આ સભ્ય છે. તું યાદ કર કે મારા પ્રાસાદમાં તું બીજા પુરૂષ સાથે આવ્યું હતું અને તે દષ્ટિવિષ ભુજંગના ભયથી પેલી વૃદ્ધા સાથે
SR No.022672
Book TitleChandraprabhu Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1930
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy