SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ હરિષણ શ્રીષેણની કથા. કયાંક નાસી જઈએ.” એમ કહેતે તે સ્ત્રીની પાછળ ગયે, પરંતુ શ્રીષેણ તો રાજ્ય અને રામાને લેભી હેવાથી નિર્ભય થઈ તરવાર ખેંચી એક થાંભલાને આંતરે ઉભે રહ્યો. એવામાં પંફાડાના પવને જાણે દેવીના મંદીરને ઉપાડવા મથતું હોય તેમ ફણાવડે પ્રચંડ તેણે પિતાનું મુખ બિલથકી ચાર અંગુલ બહાર કહાડયું કે તરતજ પિતાના ખડગવતી શ્રીષેણે તેનું મુખ છેદી નાખતાં દેવીના બંધ થયેલા દ્વાર પોતાની મેળે ઉઘાડયા અને સર્પને મારવાથી પ્રસન્ન થયેલ દેવી તેના જેવામાં આવી. ત્યાં પૂર્વે સાંભળેલ તામ્રરસને કુંડ જોતાં, શ્રીષેણ અંજલિ જેવ, નમીને દેવીને વિનંતી કરવા લાગ્યો કે–“હે દેવી! દીવાલી સુધી હું અહીં રહેવાને સમર્થ નથી, તે કૃપા કરી આજેજ દીવાળીની રાત્રી માની લેજે,” એમ કહેતાં તરતજ તેણે તે કુડમાં કૂદકે માર્યો, એટલે તે તત તામ્રરસ ક્ષણવારમાં અમૃતરસ બની ગયે, તેવામાં દેવી બોલી કે “હે મહાભાવિક ! હું તારાપર પ્રસન્ન થઈ છું. માટે ઈચ્છાનુસાર વર માગી લે.”એમ પ્રત્યક્ષ થઈને દેવીને કહેતી જોઈ, ઉપકારના લેભી શ્રીષેણે અંજલિ જો એક જ વર માગતાં જણાવ્યું કે હે દેવી! શ્રીપુરના લકે તથા રાજા નદીના પૂરમાં તણાયા છે, તેમને પુનઃ સજીવન કરે.” ત્યારે દેવીએ વિભંગ જ્ઞાનથી જોતાં કહ્યું કે–“હે ધીર! તે તે ત્યાં બરાબર કુશળ છે માટે બીજું કાંઈક બે વરથી માગી લે. તારા ઉપકાર અને સત્વથી સંતુષ્ટ થઈ હું તને આપવા તત્પર છું.” ત્યારે વિચાર કરીને તેણે એક વરમાં માગ્યું કે-સંગીત કરનારી કામિની સહિત મને સામ્રાજ્ય પ્રાપ્ત થાય.” તથા બીજા વરમાં માગ્યું કે–“હે દેવી! હું યાદ કરું, ત્યારે તરત તારે આવીને હાજર થવુ.” ત્યાં દેવી “ભલે એમ થાઓ” એ રીતે બેલતાં તે અદશ્ય થઈ ગઈ. પછી શ્રીષેણ પણ તેની મૂર્તિને નમીને બહાર નીકળતાં ચિંતવવા લાગે કે -
SR No.022672
Book TitleChandraprabhu Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1930
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy