SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ શ્રી ચંદ્રપ્રભસ્વામ–ચરિત્ર. રસને કુંડ છે; દીવાળીની રાતે જે પુરૂષ તેમાં સ્નાન કરે તેના પર સંતુષ્ટ થઈને તે દેવીતેને અવશ્ય મહારાજ્ય આપે છે. એવા કલ્પ–પ્રમાણથી હું તે દ્વીપમાં જવાનું છું. અને ઔષધિલેપના પ્રભાવે હું જળપર શીવ્ર ચાલી શકું છું.’ એ પ્રમાણે તેના જવાનું કારણ સાંભળતાં રાજ્યલોભી શ્રીષેણે પુનઃ તેને કહ્યું કે – તમે ત્યાંથી પાછા કયારે કરશે?” તે બે - હમણાજ. કારણ કે ત્યાં સ્ત્રી-પુરૂષે ઘણું હેવાથી રહી ન શકાય.” ત્યારે યક્ષસ્વામીથી વિરક્ત થયેલ શ્રીષેણ બે -તે લેપની ઔષધિ જે મને બતા –આપે, તે હું તમારી સાથે આવું.' તેણે કહ્યું—“ અહે! તેમાં એટલી બધી દીનતાની શી જરૂર છે. લ્યો આ ઔષધિ અને તમે પણ રાજ્ય મેળવવાનું સાહસ સુખે કરે” એમ કહી તેણે આપેલ ઔષધિ પગે લગાડ, શ્રીષેણ પોતાના ભાઈને સુતે મૂકીને તેની સાથે ચાલતે થયે. તે ઔષધિના પ્રભાવથી મહાવેગે ચાલતા તે તરતજ પંખીની જેમ રત્નદ્વીપમાં પહોંચ્યા. ત્યાં વિસ્તાર પામતી રત્નપ્રભાથી અંધકાર દૂર થતાં પ્રાકારને વિશ્વમ કરાવનાર સુવર્ણના સ્તંભેપર નિર્મળ મેતીના લટકતા તરણેવડે શોભાયમાન, નીલમણિથી જડેલ ભૂમિવડે જળની ભ્રાંતિ કરાવનાર, તમ્ફ ગવાક્ષશ્રેણિથી મનહર, પિતે ચંદ્રકાંતમય હેવાથી જાણે ફીણને પુજ હેય, સ્નિગ્ધ પાનપર આરોહણ કરતી સ્ત્રીઓ વડે વિરાજિત, પૂતળીના હાથમાં ધરેલ માણિજ્યના દીવાઓવડે અધિક રમણીય એવા તે દેવીના ભવનમાં તે બંનેએ પ્રવેશ કર્યો. તે દેવીની મનહર મૂર્તિ આગળ સંગીત કરતું તથા અત્યંત રૂપલાવણ્ય સહિત સ્ત્રીઓનું એક ટેળું તેમના જેવામાં આવ્યું. પિતા ની અગાઉ આવેલ સ્ત્રીઓને જોઈ, પિતાના કર્તવ્યને વિસારી તે બંને એક થાંભલાની પાછળ ઉભા રહ્યા. તેઓ ક્ષણભર નાચતી અને ક્ષણભર વાણુ વગાડતી જોઈ, ભ્રમણાથી જાણે તેમની દષ્ટિ
SR No.022672
Book TitleChandraprabhu Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1930
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy