SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યકત્વ ઉપર આરામનંદનની કથા. ૧૩૩ બચાવું, તે મનને સુખ થાય. વળી મારે પિતાને વૃત્તાંત લેખમાં લખી વાનરને આપું કે જેથી તે રાજાને નિવેદન કરે.” એમ સમજી વેલીના રસે પિતે પત્ર લખી, સ્નેહથી મર્કટને સોંપીને તેને વિદાય કર્યો અને પોતે કંચુકીના ઉપાયમાં વ્યગ્ર થઈ પૃથ્વીપર ભમતાં પિતાની કાંતા પાસે જવાને નિકટ અવધિ મનમાં ચિંતવવા લાગ્યું. એવામાં એકદા વ્યંતર દેવતાને વાનર થઈ કીડા કરતે જોઈ, આરામનંદન તે કપીઓનું કૌતુક જેવા લાગ્યા, ત્યાં કાલામુખ નામે મહાન વાનર રાજા અને તેના સામંત, અમાત્ય, પદાતિ વિગેરે તાબેદાર હતા. એટલે કાલમુખ રાજાએ દ્વારપાલ વાનરને હુકમ કર્યો કે અરે ! તું સુતારેને જઈને કહે કે મયુર શીઘ બનાવે. તેણે સત્વર જઈને સુતારને રાજાને આદેશ સંભળાજો અને તેણે મયૂર તૈયાર કર્યા. તેણે કીલિકા-ખીલીના પ્રયોગથી આકાશમાં શીધ્ર ચાલનારા બનાવી, વાનર રાજા પાસે જઈને નિવેદન કરતાં, રાજાએ પ્રતિવાનરે સામે જવાની ઈચ્છાથી પટહ વગડાવ્યું, જેથી બધા વાનરે સજજ બની એકઠા થયા. તે બધા અલગ અલગ મેરપર બેઠા, એટલે રાજા મયૂરારૂઢ થઈને તેમની સાથે ચાલ્યું, તે બધા કીલિકાના પ્રયોગથી આકાશ માર્ગે સજીવની જેમ આ પ્રમાણે યથામાર્ગે ચાલ્યા. એમ મયૂરારૂઢ વાનરેને આકાશ પંથે જતા જોઈ આરામનંદન તેમની પાછળ ભૂમાર્ગે દોડવા લાગ્યું. પછી આગળ એક ઉદ્યાન આવતાં તેઓ મયૂ પરથી નીચે ઉતર્યા અને શત્રુવનમાં સંગ્રામ કરવા તે સજજ થયા. તેમણે કાયરના પ્રાણને હરનારી ભંભા વગાડી અને એકાંતમાં તે મયૂરે મૂકીને તેઓ શત્રુ તરફ ધસ્યા. તેવામાં શત્રુસેના બહાર આવેલ જાણી પ્રતિભટ–શત્રુના વાનરે કેટલાક લતાકું જેમાં નાઠા અને કેટલાક એક વૃક્ષથી બીજા વૃક્ષે દોડવા લાગ્યા. કેટલાક
SR No.022672
Book TitleChandraprabhu Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1930
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy