SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ આરામનંદનની કથા. ૧૧૭ wwwmmmmm ભણી જતાં આરામનંદનને તેમણે બેલાવતાં, તે જવાને સજજ થયે એટલે તેણે રત્ન સહિત અને રત્ન રહિત તે છાણા વહાણમાં નાંખતાં, તે લેકે બેલ્યા કે- આ શું?” આરામનંદને કહ્યું– સાગર શેઠે આપેલાં છાણું આટલા દિવસ વાપરતાં, હવે બાકી વધ્યાં તે અહીં ન મૂક્તાં સાથે લઉં છું. અહીં મૂકતાં તે કેને કામ. આવે? વળી હું તે ઇંધણા લેવા માટે જ જાણે આવ્યું. એટલે તેઓ હસતાં હસતાં બેલ્યા કે-“અરે! તું તે સરલ લાગે છે, હવે એ છાણા અહીજ મૂકી દે, ત્યાં લઈ જતાં એનું કાંઈ પણ મળશે નહિ. અમારાં વહાણે કરીયાણુથી પૂર્ણ ભરેલાં છે, તેમાંથી થોડું થોડું તારા વ્હાણુમાં લઈ લે, અમે તને ભાડું આપીશું. એમ તેમણે કહ્યા છતાં તેણે કઈ રીતે તે છાણાં ન મૂકતાં તે યાનપાત્રમાં ભરીને ભારે હર્ષથી નગર ભણી ચાલ્યું. અનુક્રમે જતાં તેમને પવન પ્રતિ કુળ થતાં લાકડી વતી ગાય જેમ પાછી વળે, તેમ ચાનપા અષાં પાછાં વળ્યાં. પવનને લીધે કપાસ–રની જેમ હાણે પાછા વળ્યાં અને સઢ ચડાવેલ હોવાથી જાણે ભાગતા જળપંખીઓએ ગ્રીવા ઉંચે કરી હોય તેવા ભાસતાં હતાં. મંડલીવાયુના આવર્તથી પાણીની ઘુમરીમાં જાણે તેમણે રાસકરાસડા ફરવા માંડ્યા હોય તેમ તે ભમવા લાગ્યાં. એમ પ્રતિકૂળતાથી તે મહાસમુદ્રમાં નીકળી ગયાં, જ્યાં સઢ પાણી નાખવામાં આવ્યા, અને લેકે બહુ વ્યાકુળ થવા લાગ્યા. આર્તા બનેલા હાણવટીયા વારંવાર દેવતાને સંભારતાં નિશ્ચય કરવા લાગ્યા કે-આ મરણાંત કણથી બચીએ, તે ફરીવાર સમુદ્રની સફર ન કરીએ.” એવામાં ત્યાં રહેતા તેમનું ઇંધન ખલાસ થયું, જેથી તેમણે આરામનંદન પાસે છાણ માગ્યાં; તે કહ્યું-એ તે હું પણ વાપરતું નથી. મા યાનપાત્રમાં એજ કરીયાણાં છે. પણ ઇબ્રણા હતાં તેઓ વાદ્વાર છે. સુખતિ પાસે
SR No.022672
Book TitleChandraprabhu Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1930
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy