SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દર્શનને કર્મવાદ અરઘટ્ટ ઘટ્ટી ન્યાયથી નિમિત્ત-નૈમિત્તિક ભાવથી ભાવકર્મ અને દ્રવ્યકર્મને અનુબંધ હેવારૂપ દુષ્ટચક ચાલ્યા જ કરે છે. તેનું કારણ એ છે કે, જે સમયે દ્રવ્યકમને ઉદય ચાલતું હોય ત્યારે આત્મા, રાગ-દ્વેષ–મેહ વિભાવભાવમાં પરિણમે તે તે નવીનકર્મને બંધ કરે છે. એટલે તે ભાવકર્મના નિમિત્તથી પુનઃ દ્રવ્યકમને બંધ થાય છે. ભાવમલરૂપી આશક્તિ-સ્નેહ-ચીકાસના કારણે આત્મા, -દ્રવ્યકર્મરૂ૫ રજોમયી બને છે. તેથી જન્મ જન્માંતરની પૂરી પર દેહધારણાદિ ચક્કર લગાયા જ કરે છે. આ કર્મના આવરણથી જ આત્માની સ્વભાવદશા ઢંકાઈ જાય છે, અને વિભાવદશા પ્રવર્તે છે. સંસારી જીવને અનાદિ કાળથી આવી વિભાવદશા પ્રવર્તે છે. જે જીવેએ સ્વભાવદશા પ્રગટ કરી છે, તે જ પણ તે દશા પ્રાપ્ત કર્યા પહેલાં અનાદિકાળથી વિભાવ દશામાં જ હતા. જવને અનાદિકાળથી વિભાવદશામાં રાખનાર તે કર્મરૂપે પરિણમિત થયેલ પુદુંગલદ્રવ્ય જ છે. આ પુદ્ગલદ્રવ્યના સાગથી જ જીવ,મેહમાં આશક્ત થવાથી પુદ્ગલભેગમાં ઈષ્ટતા પ્રાપ્ત કરીને, પુદ્ગલકને ગ્રહણ કરીને, સ્વયં અન્યને કર્તા થાય છે, ત્યારે કર્મબંધ થાય છે. જ્યારે તે કર્મને ઉદય થાય છે, ત્યારે આત્માના સ્વગુણ ઢંકાઈ જાય છે. સ્વગુણ ઢંકાઈ જવાથી જીવ, ચારગતિમાં ભ્રમણ કરવા લાગે છે. ) અશુદ્ધપરિણિતિઓને ભેગ કરવાથી જીવ અશુદ્ધ ભક્તા થાય છે. તથા પિતાની ગ્રાહક શક્તિથી જ્ઞાનાદિ - - ht: -.ક રમતી' તી ,
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy