SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માની વિભાવ થા છે. પરંતુ પૂર્વાંકત ૨૮ ભેદાની માફક આ ચાર પ્રકારની બુદ્ધિમાં રાજના વ્યવહારમાં આવતા જાણીતા પદાર્થાનુ મતિજ્ઞાન નથી. તેમાં તેા સહજ રીતે નવા ખ્યાલ ઉત્પન્ન કરવાવાળું મતિજ્ઞાન હેાયાથી અશ્રુતનિશ્રિત મતિજ્ઞાન કહેવાય છે. અને પૂર્ણાંકત ૨૮ ભેદોમાં રાજના વ્યવહારમાં આવતા જાણીતા પદાર્થાનુ મતિજ્ઞાન હાવાથી તેને શ્રુતનિશ્રિત મતિજ્ઞાન કહેવાય છે. એમ ઉપરાક્ત ૩૩૬ ભેદ્યમાં આ ચાર બુદ્ધિ ભેળવતાં કુલ્લ ૩૪૦ ભેદે મતિજ્ઞાન, જૈનશાસ્ત્રમાં અતાવ્યું છે. આ બધા સૂક્ષ્મવિચાર વ્યવસ્થિત રીતે અને તે પણ યાગ્ય પારિભાષિક શબ્દો સાથે જૈનશાસ્ત્રમાં કરવામાં આવેલે હેાવાથી, મતિજ્ઞાનનું સ્વરૂપ, જૈનશાસ્ત્રદ્વારા જ સારી રીતે સમજી શકાય છે. અહીં મહુ, અબહુ આદિનું તથા ચાર બુદ્ધિનું સ્વરૂપ નન્દીસૂત્રમાં બહુ જ સ્પષ્ટતાથી વિસ્તાર પૂર્વક દૃષ્ટાંત સહિત જણાવ્યુ છે. આ રીતે જીવેામાં વિવિધ પ્રકારે વર્તતી મતિજ્ઞાનરૂપ ચૈતન્યતાના ખ્યાલ-જૈનશાસ્ત્રો દ્વારા સમજવા જરૂરી છે. ક ૩૧ હવે શ્રુતજ્ઞાન અંગે વિચારીએ તે પૂર્વાકત ધારણા સ્વરૂપે જે ઈન્દ્રિયના જે વિષયના ઉપયોગ જ્યાંસુધી ચાલી રહ્યો છે, ત્યાંસુધી તે તે ઉપયાગ મતિજ્ઞાનેાયેાગ તરીકે કહેવાય છે. ત્યાંથી આગળ વધીને તે વસ્તુના ત્રિકાલિક વિષયે માં પ્રવૃત્ત થવાવાળા અર્થાત્ તે વસ્તુના પૂર્વપરિચયના ખ્યાલસહિત વત તે ઉપયાગ, શ્રુતજ્ઞાને પયાગ કહેવાય છે. અને તે ઉપયાગ, શ્રુતલબ્ધિ-જ્ઞાનથી જ વર્તે છે. પૂર્વે જાણેલી અનુભવેલી વસ્તુના પુનઃ પ્રત્યક્ષ સંબધ થાય છે, * T
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy