SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૮ - જૈન દર્શનને કર્મવાદ સર્વવિરતિની પ્રાપ્તિ થાય. એ રીતે આત્માના ગુણને પ્રગટ કરવા માટે કર્મની સ્થિતિને તેડી નાખવી પડે છે. કર્મની સ્થિતિને કાપવાનું કામ એકાદસમયમાં બની જતું નથી. તે અસંખ્યાતા સમયમાં બને છે. પહેલા સમયે જેટલી સ્થિતિ તેડવા માંડી તેટલી તૂટી, બીજા સમયે તેડવા માંડી તેય તૂટે તે આગળ વધવાનું થાય. સ્થિતિ તેડી નાખવા છતાં કર્મ પ્રદેશને સમૂહ તે નિયત થયામુજબ જ રહે છે. ફેર એટલે પડે છે કે જે પ્રદેશના સમૂહના ભેગવટામાં દીર્ઘકાળ વ્યતીત કરવાનું હોય તેટલે સમૂહ ટુંકા કાળમાં ભેગવવાનું કરે. પણ ભગવટાનું સાવ એવું ને એવું હોય તે ભેળું થાય અને મુશ્કેલી ઉભી કરે. રેજ અડધી આની વજનભાર કેફી વસ્તુ એકમહિના સુધી નિયમિત લેનાર, એક મહિને લગભગ એક તેલા સુધી ખાઈ જાય. પણ એક મહિનાની સામટી લઈલે તે મરણપ્રસંગ જ ઉપસ્થિત થાય. ધીમે ધીમે વાપરવાની વસ્તુ ધીમે ધીમે ખવાય તે નુકસાન ન થાય. એક સાથે ખાવાથી નુકસાન થાય, એકદમ ભેગવવાને રસ્તે તે ચઢવાને નહિ પણ પડવાને છે. પણ તેના સત્તને તેડી નાખે તે એક સામટી વપરાયેલ -વસ્તુ પણ નુકસાન કરનાર થતી નથી. વધુ પ્રમાણમાં આરેગાયેલ કેરીને રસ વાયુ પ્રકોપ કરે, પેટમાં સખત પીડા પેદા કરે, પણ રસમાંનું સત્વ તેડી નાખીને વાપરવાથી વાયુ ઉત્પન્ન થાય નહિ. વધુ પ્રમાણમાં કેરી ખાવાના સ્વાદલાએએ આવા સમયે સૂંઠને મિશ્રિત કરવી જોઈએ, પછી વધે ન આવે. એ રીતે કર્મ, એક વખત બંધાઈ ગયું પણ
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy