SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થિતિબંધ-સબંધ અને પ્રદેશબંધ ૩૨૫ તે આયુ સિવાય શેષ સાતે કર્મોની સ્થિતિની પોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન એક કડાકડિ સાગરોપમ પ્રમાણુ લઘુતા કરવી જોઈએ. આટલી હદ સુધીની લઘુતાને પામેલે જીવ જ સ્થિદેશને પામી અનુક્રમે અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ કરી સમ્યકત્વને પામી શકે છે. પ્રન્થિદેશે પહોંચવા ચોગ્ય કર્મ સ્થિતિની લઘુતા, જીવને પિતાના ઈરાદાપૂર્વકના પુરૂષાર્થ વિશેષથી પ્રાપ્ત ન થતાં, નદી –ઘેલ-પાષાણ ન્યાયે અકસ્માત વેગે પ્રાપ્ત થાય છે. નદીએમાંથી કેટલીકવાર બહુજ સુંદર આકારવાળા અને અતિશય લીસા એવા પાષાણે મળી આવે છે. એ પાષાણને કોઈ કારીગરે કંઈ એ સુંદર આકાર આપેલ હેતે નથી, અથવા તે એ પાષાણને કઈ કારીગરે એવું અતિશય લીસાપણું પણ આપેલું હોતું નથી. આમથી તેમ અથડાતે કુટાતેજ, એ પાષાણે એવા સુંદર આકારવાળા અને એવા અતિશય લીસા બની ગયેલા હોય છે. પાષાણને એવા આકાર આપવાની સાથે એવું લીલાપણું આપવું, એ કારીગરને માટેય સહેલું તે નથી જ. જયારે કુદરતી રીતે એ પાષાણુ અથડાતે કુટાતે એવા બની ગયેલા હોય છે. જીવને ગ્રન્થિદેશ સુધી પહોંચાડનારી જે કર્મ સ્થિતિની લધુતા થાય છે, તે લઘુતા પણ એ જ રીતે, યથાપ્રવૃત્તિકરણ દ્વારા એ કર્મ સ્થિતિ ખાતે ખપત થઈ જવા પામે છે. અભવ્ય છે અને દુર્ભાગ્ય છે પણ
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy