SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ જૈન દર્શનને કર્મવાદ રાખનારાઓએ ફેલાવેલ ઝેરી વાતાવરણથી અલિપ્ત રહેવા માટે ઉચ્ચકુલવાળાએ સાવચેત થઈ જવું ઘટે છે. - નીચ નેત્રવાળા, માણસાઈમાં નથી કે જીવપણામાં નથી, એમ માનવા માટે અગર તે તેવા નેત્રવાળા પરત્વે તિરસ્કાર ભાવના રાખવા માટે, આ નિરૂપણ નથી. પરંતુ ઉચ્ચગોત્ર સિવાય સુસંસ્કારનું પોષણ પ્રાયઃ અસંભવિત અને અશક્ય છે, તે જાણવા-સમજવા અને બુદ્ધિમાં ઉતારવા માટે આ નિરૂપણ છે. જે કઈ મનુષ્ય કેઈની હિંસા કરે-ઘાત કરે તે તેમ કરનારો ભવાંતરમાં સેંકડે વખત ઘાતને પામે છે. તેની પિતાની હિંસા થયા કરે છે. તેમ અહી જે કઈ અભિમાન કરે છે તે પણ ભવાંતરમાં હલકે થાય છે, હલકી સ્થિતિમાં ઉતરી જાય છે. ૧ જાતિ ૨ કુળ ૩ રૂદ્ધિ ૪ બળ ૫ રૂ૫ ૬ એશ્વર્ય ૭ શ્રત ૮ લાભ, આ આઠ દ્વારા અભિમાન કરી બીજાને હલકે પાડનારે આત્મા, જે જે દ્વારા અભિમાન કર્યું હોય, તે તે દ્વારા તેમાં હલકી હાલતવાળો થાય છે. શાસ્ત્રકારે જણાવે છે કે હનન ઢમતે વન જાતિ મદ કરનારો નીચ જાતિમાં જાય. જાતિ મદ કરનારને નીચ જાતિની ગતિને દંડ છે. એટલે નીચ જાતિ માનવી જ રહી. જે ન માનીએ તે જાતિમદ કરનાર માટે બદલે જ ક્યાં રહ્યો? દંડ એ સજા છે. સજારૂપ પ્રાપ્ત થયેલ સંગ સારા કહેવાય જ નહિ. તે પછી જાતિમદના દંડરૂપ પ્રાપ્ત થયેલ નીચ જાતિના સંજોગોને ઉચ્ચ કેવી રીતે કહેવાય? ઉચ્ચગેત્રમાં જન્મ
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy