SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ જૈન દર્શનને કર્મવાદ મદદગાર થાય છે. આ કર્મનું નામ આનુપૂર્વનામકર્મ છે. આ કર્મ વડે ભવાંતરમાં જતાં આકાશપ્રદેશની શ્રેણીને અનુસરીને જીવ ગતિ કરે છે. કોઈ વાર સીધે સીધે બીજા ભવમાં જાય છે. અને કેઈવાર તેને આકાશ પ્રદેશની શ્રેણમાં કાટખુણું (વક્રતા) કરવા પડે છે. સીધે સીધે સીધી આકાશ પ્રદેશની શ્રેણી ઉપર થઈને નવા ભવમાં (ઉત્પન્ન થાય, તે તે તેને તે સમયે આનુપૂવી નામકર્મના ઉદયની મદદ લેવાની જરૂર પડતી નથી. પરંતુ વિગ્રહગતિ કરવી પડે છે, જેટલા કાટખુણા-વકતા-વિગ્રહગતિ કરવી પડે, તેટલા કરવામાં મદદરૂપ બની આ આનુપૂર્વી નામકર્મ, જે ગતિમાં ઉત્પન્ન થવાનું હોય, ત્યાં પહોંચતાં સુધી ઉદયમાં રહે છે. એટલે ચારગતિના નામે આનુપૂવ નામકર્મ પણ ચાર પ્રકારે છે. (૧) દેવગયાનું પૂર્વનામકર્મ (૨) નરક– ગત્યાનુપૂનામકર્મ (૩) તિર્યંચગત્યાનુપૂવીનાકર્મ અને (૪) મનુષ્યગત્યાનુપૂર્વનામકર્મ. આ આનુપૂર્વનામકર્મને - ઉદય, વક્રગતિમાં જ હોય છે. વિગ્રહવડે દેવગતિમાં જતા જીવને, આકાશપ્રદેશની શ્રેણિ અનુસાર ગમન કરાવનાર જે કર્મ, તે દેવગત્યાનુપૂર્વનામકર્મ છે. એ પ્રમાણે ચારે ગત્યાનુપૂવી નામકર્મની વ્યાખ્યા સમજવી. આ જગતમાં પ્રાણિઓની ચાલ (હીંડણી) વિવિધ પ્રકારે જોવામાં આવે છે. તમામ પ્રકારની ચાલનું વિભાજન શાસ્ત્રકારે એ બે પ્રકારે કર્યું છે. પ્રશસ્ત યા શુભ, અને અપ્રશસ્ત યા અશુભ. ચાલનું નિયામક કર્મ તે “વિહાગતિ
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy