________________
૨૫૦
જૈન દર્શનને કર્મવાદ તેરમાં ગુણઠાણે, અને સત્તામાંથી ચૌદમાં ગુણસ્થાનકના દ્વિચરિમ સમયે જાય છે. જ્યારે કાર્યણશરીરને સંબંધ ચૌદમાના ચરમસમય પર્યત હોય છે.
કામણ શરીરનામકર્મને ઉદય તેરમા ગુણસ્થાનક સુધી જ હેવાથી, ચૌદમે ગુણસ્થાનકે કમપેગ્ય પુદ્ગલનું ગ્રહણ થતું નથી.
આ પ્રમાણે કામણુશરીર અને કાર્યણશરીરનામકર્મમાં ભિન્નતા છે.
શરીરરચનામાં કેવલ તે તે શરીરને મેગ્ય પુગલના ગ્રહણમાત્રથી શરીર કંઈ તૈયાર થઈ જતું નથી. પુદ્ગલ ગ્રહણ કર્યા બાદ પણ, તે પુદ્ગલેમાંથી બે હાથ, બે સાથળ, પીઠ, મસ્તક, છાતી અને પેટ, એ આઠ અંગો, તથા આંગળી પ્રમુખ ઉપાંગે, અને આંગળીના પર્વ-રેખા વગેરે અંગે પાંગની રચના, આગળ પાછળ ગ્રહણ કરાતાં તે તે શરીરનાં પુદ્ગલેને અન્ય એકમેક સંબંધ, શરીર– રચનામાં ઉપયોગી પુગલજથ્થાની રચના, શરીરમાં હાડકાંની બેઠવણ, શરીરની વિવિધ આકૃતિઓ, વિવિધ પ્રકારે વર્ણ—ગંધ-રંસ અને સ્પર્શનું શરીરમાં થતું નિર્માણ, એ વીગેરે રચનાઓ પૂર્ણ થયા બાદ જ શરીરની રચનાની પૂર્ણતા થાય છે. અને તે તે રચનાઓનું નિર્માણ તે વિવિધ પ્રકારની નામકર્મની પ્રકૃતિના ઉદયથી જ થાય છે.
પાંચે શરીર પૈકી તૈજસ અને કાશ્મણ શરીરને અંગે પાંગ નહીં હોવાથી, શેષ ત્રણ તે દારિક–વૈક્રિય