SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૩૩ પ્રકૃતિ બંધ ગતિ અને નરક ગતિ, એમ ગતિ તે ચાર પ્રકારે છે, એટલે તે તે ગતિને અપાવનાર કર્મ પણ અનુક્રમે દેવગતિ નામકર્મ, મનુષ્યગતિ નામકર્મ, તિર્યંચગતિ નામકર્મ અને નરકગતિ નામકર્મ, એમ ગતિનામકર્મ પણ ચાર પ્રકારે છે. ગતિનામકર્મને ઉદય તે આયુકર્મને અનુસરીને જ વર્તતે હોઈ વિપાકેદયથી પણ ભગવાય અને પ્રદેશદયથી પણ ભેગવાય છે. કેટાકોટી સાગરોપમની સ્થિતિબંધવાળું ગતિનામકર્મ, તેટલી સ્થિતિવાળું આયુષ્યકર્મ હોય તે જ વિપાકેદયથી ભોગવી શકાય. પણ આયુષ્યકર્મની સ્થિતિ તે તેત્રીસસાગરેપમથી અધિક હોઈ શકતી જ નથી. વળી ચાર પ્રકારના ગતિનામકર્મમાંથી કે એક પ્રકારના ગતિનામકર્મના ઉદય વખતે તે ગતિને અનુકૂળ જ આયુષ્યકર્મને ઉદય આવો જોઈએ એવું પણ બની શકતું નથી. કારણ કે વર્તમાન આયુના ઉદય સમયે બંધાયેલ આગામી ભવનું આયુકર્મ તે વમાન આયુષ્ય પૂર્ણ થયે ઉદયમાં આવે જ. અન્ય કર્મ તો તે ભવે પણ ઉદયમાં આવે અને કેટલાક ભ વીત્યા પછી પણ ઉદયમાં આવે. પરંતુ આયુષ્ય કર્મ તે વર્તમાન આયુષ્ય પૂર્ણ થયા બાદ નવા ભવના પ્રારંભમાં જ ઉદયે આવે. નવા ભવના આયુષ્યકર્મના ઉદય વખતે વર્તતે ગતિનામકર્મને ઉદય, આયુષ્યને અનુરૂપ ન હોય તે આયુષ્યને અનુરૂપ ગતિરૂપે સંકમી પ્રદેશદયથી વેદાય છે. વળી તે આયુષ્યના પૂર્ણ ભેગવટા સુધીના કાળમાં વચ્ચે
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy