________________
૨૨૩
પ્રકૃતિ બંધ વિયેગ અને અનિષ્ટ ગાદિ અનેક સંજોગોમાં સપડાયેલા હેવાથી આ સંસારમાં પિતાનું મૃત્યુ જલ્દી ઈરછે છે, પરંતુ તેઓ જલ્દીથી મરી જતા નથી. કેમકે તેમના આયુધ્યની મર્યાદા દીર્ઘ હોય છે. તે ગમે તેટલી ઈચ્છા થતાં હ્રસ્વ થતી નથી. જ્યારે અનેક પૌદ્ગલિક સુખમાં એશાઆરામ કરનારા પ્રાણિઓ, પૂર્વ પુણ્યાગે અખૂટ ધનપ્રાપ્તિ, વહાલી પ્રિયા અને ઈષ્ટ સંતતિ આદિ અનેક સુખી સંજોગો પ્રાપ્ત થયેલા હોવાથી આ દુનિયામાં પોતે લાંબા આયુષ્ય વડે દીર્ઘકાલીન સુખ ભેગવે તેવું ઈચ્છે છે, છતાં આયુ
ની મર્યાદા ટુકી હોય તે પિતાને વહાલા તે પૌગલિક સુખેને અર્ધભક્ત સ્થિતિમાં જ ત્યજવા પડે છે, અને આયુષ્ય મર્યાદાના વેગને આધિન થવું પડે છે. આ કર્મ, દરેકને પૂર્વભવમાં જ બંધાય છે. અન્ય કર્મ તે ભવે યા ભવાંતરે ઉદયમાં આવે છે, જ્યારે આયુષ્યકર્મ તે જે ભવમાં અધ્યું હોય તે ભવપૂર્ણ થયે બીજા ભવમાં જ ઉદયમાં આવે છે. શ્રેણિક રાજા કે જેઓ વીરપ્રભુના પરમભકત હતા, તેઓએ તર્ભવે તીર્થકર નામકર્મ ઉપાર્જન કરેલું હોવા છતાં, આગામી ભવનું આયુષ્ય પ્રથમ નિર્ણિત થઈ ગયેલું હોવાથી, નારકીમાં ઉત્પન્ન થવું પડ્યું હતું. આયુષકર્મ આખા ભવમાં એક જ વાર બંધાય છે. અને તે ભવપૂર્ણ થયે, નવા ભવની શરૂઆતથી ઉદયમાં આવી, બેડીની માફક જીવને શરીર ધારણ કરાવી, તે શરીરમાંથી નિકળવાની જીવને ગમે તેટલી ઈચ્છા હોય તે પણ બદ્ધાયુકર્મને ભગવટે પૂર્ણ થાય, ત્યાં સુધી તે શરીરમાં રેકી રાખે જ