SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકૃતિ બંધ २०४ શરીરાદિ અનેક પ્રતિકુળતાઓને સહન કરવાવાળા હોય. છતાં, સજીવ અને નિર્જીવતાના સંપૂર્ણ ખ્યાલ રહિત હોય. અર્થાત્ ઓછી સમજવાળા હય, અથવા તેવું જ્ઞાન પ્રાપ્ત કરવામાં ઉપેક્ષા વૃત્તિવાળા હેય, અગર સર્વજ્ઞ ભગવાને, પ્રરૂપેલ સજીવ વસ્તુઓમાં લેશ માત્ર પણ અશ્રદ્ધાવાળા હેય, તે તેવાઓ સંપૂર્ણ અનુકંપા પાળી શકતા જ નથી. સાચી. અનુકંપાબુદ્ધિવાળાઓએ તે સૂક્ષમ યા સ્થૂલ પ્રાપ્તિમાત્રનું સ્વરૂપ સમજવું જોઈએ. મુડીદારને જ રક્ષણ આપનારું રાજ્ય જેમ ન્યાયી ન ગણાય તેવી રીતે સંપૂર્ણ ઇંદ્રિયશક્તિ ધારણ કરનાર પ્રાણિ પ્રત્યેજ અનુકંપાવાળા બની, જુન ઇંદ્રિયશક્તિને ધારણ કરનાર પ્રાણિ પ્રત્યે ઉપેક્ષા કરનાર, વાસ્તવિક અનુકંપાવાળો કહી શકાય જ નહિ. * વળી અન્ય જીવ પ્રત્યે અનુકંપા બુદ્ધિ રાખનાર માણસ, મનુષ્ય પ્રત્યે દયાહીન બને, કઈ મનુષ્યને દુઃખી દેખી તેનું હૃદય ન કરે, યથાશક્તિ તેનું દુઃખ દૂર કરવા. તૈયાર ન થાય, સ્વશક્તિ ન હોય તો અન્ય દ્વારા પણ દુઃખીના. દુઃખને દૂર કરાવવાની કોશિષ ન કરે, પિતે વ્યાપારી હોય તે વિશ્વાસુ ઘરાકને છેતરવાની બુદ્ધિ રાખે, ડેકટર કે વકીલ હોય તે દદી અને અસીલના આર્થિક સંગને ખ્યાલ નહિં કરતાં સ્વસ્વાર્થની પોષણુતાનું જ મુખ્ય લક્ષ્ય રાખે, સરકારી નોકરીયાત કે કોઈ મોટા હોદ્દા ઉપર રહેલ અમલદાર સરકારી પગાર ખાવા છતાં લાંચ-રૂશ્વત. લીધા વિના કામ ન કરે, પ્રજા ઉપર અસહ્ય કર નાખે, છે. ૧૪
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy