SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - પ્રકૃતિ બંધ ૨૦૭ ગતિએ તે પુગલને આધિન હોવાથી ગુલામગીરીવાળી છે, અને સ્વાધિનગતિ તો ફકત મિક્ષગતિ જ છે. ટુંકમાં પુદ્ગલજન્ય કેઈપણ સુખની પૃહારહિત જ સમ્યગ્દષ્ટિ આત્મા હોય. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે સમતિની સઝાયમાં કહ્યું છે કે – “સુરનર સુખ જે દુઃખ કરી લેખ, વંછે શિવ સુખ એક; આ પ્રમાણે મોક્ષની રૂચિ અને સંસારની અરૂચિરૂપ સંવેગ” તે સમ્યક્ત્વનું બીજું લક્ષણ છે. સમ્યકત્વી જીવ સંસારને કેદખાનું માને. તેનાથી ઉદાસીન બને. સંસાર પ્રત્યે ઉદાસીનતા-ભવથી ઉદાસીનતા-જન્મમર ની ઉદાસીનતા, આ રીતે ઉદાસીન બની સંસારથી છૂટવાની ઈચ્છા કરે, અને ભવપાશથી છોડાવનાર સદ્દગુણને શરણે જવાની પ્રબલ જિજ્ઞાસા જે વર્તે તે “નિર્વેદ” નામે ત્રીજું લક્ષણ છે. ભવપાશથી વિરકતતા અને આત્મધર્મનું શરણુ, આ એ પ્રબલ સાધનેની મદદથી જ અજ્ઞાનને નાશ સાધી સ્વરૂપ સ્થિતિ મેળવવાની હોઈ, સમ્યકૂવી માં આ નિવેદ” ગુણની ઘણું જરૂરીયાત છે. દુઃખી પ્રાણિઓને વિષે પક્ષપાત વિના દુઃખ દૂર કરવાની ઈચ્છા તે અનુકંપા છે. જેમ જેમ મનુષ્ય, પરમાર્થના માર્ગમાં આગળ વધતું જાય છે, તેમ તેમ તેનું હૃદય વિશેષને વિશેષ આદ્ર બનતું જાય છે. જગતમાં વિવિધ - * * T : - જાજ : ** * * * * * * * * * * * * * - - -
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy