SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૫ પ્રકૃતિ બંધ પશમ સમ્યગ્દર્શન ટાઈમે અશુદ્ધ પુજનાં દલિકોનું સંક્રમણ અદ્ધ યુદ્ધમાં, અને અદ્ધશુદ્ધનું સંક્રમણ શુદ્ધપુંજમાં થતાં થતાં, તમામ દલિકો માત્ર શુદ્ધ પુંજરૂપે જ સંક્રમાઈ જાય, અને શુદ્ધપુંજનાં દલિકે ઉદયમાં વર્તતાં વર્તતાં વેદાઈને સંપૂર્ણ ક્ષય પામી જાય, એટલે કે દર્શન માહનીયકર્મના ત્રણેjજેને દલિકસમુહ આત્મામાંથી બિસ્કુલ ખલાસ થઈ જાય, તે વખતે જાગી ઉઠેલા આત્માના સંપૂર્ણ સમ્યગ્દર્શનને ક્ષાયિક સમ્યગ્દર્શન કહેવાય છે. આ સમ્યક્ત્વ કોઈપણ ટાઈમે ક્ષય નહીં પામવાના સ્વભાવવાળું હોવાથી તેનું નામ ક્ષાયિકસમ્યગ્દર્શન છે. ક્ષપશમ સમ્યકત્વ ટાઈમે મિશ્ર કે અશુદ્ધ પુજને એક પણ કણ ઉપશમમાં ન હોય, અને શુધ્ધપુંજનું વેદન એક સમય પુરતું જ શેષ હોય, તે ટાઈમે વર્તતા સમ્યકત્વને વેદક સમ્યકત્વ કહેવાય છે. અહીં ક્ષાપથમિક સમ્યકત્વમાં દર્શન મેહનીય કર્મ પ્રકૃતિને ઉદય તે છે, પરંતુ તેમાં શુદ્ધ દલિકે (સમ્યકૃત્વ મોહનીય) ને ઉદય હોવાથી યથાર્થ તત્વની શ્રદ્ધામાં આવરણરૂપે બનતાં નથી. પશમિક સમ્યક્ત્વમાં દર્શન મેહનીય કર્મપ્રકૃતિને મિત્કલ ઉદય નહિ. વર્તતાં, તે કર્મની સ્થિતિ, રાખમાં ભરેલા અગ્નિની જેમ ઉપશાંત હોય છે. છે એટલે તે ટાઈમે આત્મામાં દર્શન મેહનીયકર્મનું અસ્તિત્વ તે છે, માત્ર વેદનરૂપે નથી.
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy