SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ મકાન અને અન્ય ૧૮૪ જૈન દર્શનને કર્મવાદ વર્તમાન જૈનશાસનપતિ પ્રભુ મહાવીરને ગૃહસ્થપણાને જમાઈ. જ્યાં સત્યને પક્ષપાત છે, ત્યાં વ્યક્તિને પક્ષપાત હેઈ શકે જ નહીં. વ્યક્તિના પક્ષપાતથી પ્રેરાઈ સત્યના પક્ષને ત્રોડી નાખનાર તે મિથ્યાત્વી જ કહેવાય. જેનદર્શનમાં તે યથાર્થ તત્ત્વને પક્ષપાત છે, વ્યક્તિને પક્ષપાત નથી. શ્રી તીર્થકરના જે અંગે પણ સમ્યકત્વ પ્રાપ્ત ભવથી પ્રારંભી, કેવલજ્ઞાન પ્રાપ્ત ભવ સુધીમાં વ્યતીત, સારા બુરા જીવનનું વિવરણ, તે વસ્તુસ્વરૂપના નિરૂપણની બુદ્ધિએ સ્પષ્ટપણે જૈનદર્શનમાં કરેલું છે. અમારા ભગવાન છે, માટે તેમના છઘકાળમાં આધ્યાત્મિક દ્રષ્ટિએ થએલી તેમની ભયંકર ભૂલે જગત સમક્ષ ખુલ્લી ન મૂકાય, એ માન્યતા જૈનદર્શનમાં નથી. અહિં તે સ્વરૂપનું નિરૂપણ કરવાની બુદ્ધિ છે. જગતના જીને સન્માર્ગગામી બનાવવાની બુદ્ધિએ સારી અને બુરી બને હકીકતનું નિરૂપણ હોવું જોઈએ. એ રીતનું નિરૂપણ ન હોય તે કઈ ચીજ બુરી છે, અને કઈ ચીજ સારી છે, તેને જગતને ખ્યાલ પણ ન રહી શકે. અનશનધારી આનંદશ્રાવક પાસે ગણધર ભગવાન શ્રી ગૌતમસ્વામીજી પધારે છે. પરસ્પર વાતચિતમાં મતભેદ થાય છે. શ્રી ગૌતમસ્વામીજી ત્યાંથી પ્રભુ મહાવીર પાસે આવે છે, ત્યારે પ્રભુમહાવીર તેમને કહે છે કે “ગૌતમ! આનંદનું કથન સત્ય છે. તારું કથન અસત્ય છે. માફી માંગ ! શ્રી ગૌતમસ્વામીજી મહારાજા તે આનંદ શ્રાવકના મન્તવ્ય પ્રત્યેની શ્રેષ બુદ્ધિથી બેલ્યા ન હતા. પણ તે પદા . . . દા : '..
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy