________________
૧૭૬
જૈન દર્શનના કર્મવાદ
કયાં જીવાદિતત્ત્વોને વિસ્તૃત રીતે સમજવા બેઠા હતા ? એટલા ઘેાડા ટાઈમમાં તત્ત્વાનુ સ્વરૂપ સમજી શકાય પણ કેવી રીતે ? માટે ગૌતમસ્વામીને સંબંધ થયા પહેલાં પણ તેઓમાં સમ્યક્ત્વ હસે જ, તેા જ તુરત કેવલજ્ઞાનને પામ્યા. એટલે તાપસ અવસ્થામાં તે પ્રભુ મહાવીરે પ્રરૂપેલ તત્વની શ્રદ્ધાવાળા ન હતા. આ ઉપરથી જૈનદનને માન્ય તત્ત્વાને નહિ' સ્વીકારનારમાં પણ સમ્યક્ત્વના નિષેધ થઈ શકે નહિ.’
આનું સમાધાન એ છે કે ગૌતમસ્વામીની લબ્ધિ જોયા પહેલાં જ તે તાપસેાને સમતિ થયેલું હોવું જ જોઈ એ, એમ કહેવુ' તે સમ્યક્ત્વની સમજને જ અભાવ છે. શ્રી ગૌતમ સ્વામીના સંબધ થવા પહેલાં તે તે તાપસામાં મિથ્યત્વ હતું. અને સમ્યક્ત્વની પ્રાપ્તિ તે તેમને ગૌતમસ્વામીના સંબધ થયા બાદ તુરતમાં જ થઈ છે. અને પછી કેવલજ્ઞાન થયુ છે.
જીવાદિ તત્ત્વાને વિસ્તૃત રીતે સમજવાને ટાઈમ જ નથી રહ્યો, એટલા ઉપરથી ગૌતમ સ્વામીથી પ્રતિબેાધિત તે તાપસે અલ્પ સમયમાં સમ્યક્ત્વ પામી જ ન શકે, તેમ તે માનવુ' તે પણ ભૂલ ભરેલુ છે. કારણ કે ‘ સમ્યક્ત્વની પ્રાપ્તિ તા દર્શનમાહનીય કર્મીના ઉપશમ-ક્ષયાપશમ કે ક્ષયથી જ થાય છે.’ અને તેમાં બહુ જ અલ્પ સમય લાગે છે, તે આગળ વિચારવામાં આવશે. યથાસ્થિત તત્ત્વશ્રદ્ધા તે તે સમ્યક્ત્વની કસોટી છે.