SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકૃતિ બંધ ૧૪૯ જ્ઞાનાવરણીય કર્મ હોય. કારણકે જ્ઞાન હોઈને જ્ઞાનાવરણીય કર્મનું અસ્તિત્વ છે. માટે જ્ઞાન પાંચ તે જ્ઞાનાવરણીય કર્મ પણ પાંચ છે. એ રીતે દર્શન તે ચાર છે, તે દર્શનાવરણીય કર્મ પણ ચાર જ હોઈ શકે. પરંતુ જ્ઞાનાવરણીય કર્મ કરતાં દર્શનવરણીય કર્મમાં એક વિશેષતા એ છે કે ચક્ષુઆદિ દર્શનાવરણય કર્મને ક્ષપશમથી ખુલ્લા રહેલા દર્શનગુણનું પણ આવરણ કર્મ છે. અને તે નિદ્રારૂપે ભગવાય છે. કેવલદર્શનાવરણીય તે કેવલદર્શનલબ્ધિને સર્વથા ઘાત કરે છે, પરંતુ તથાસ્વભાવથી દર્શનને ડોઅંશ અનાવૃતખુલ્લું રહે છે, તેને ચક્ષુ-અચક્ષુ અને અવધિ દર્શનાવરણીય કંઈક ઘાત કરે છે. અને આ ત્રણેના ક્ષપશમથી પ્રાપ્ત દર્શન લબ્ધિને, નિદ્રાદિ ઘાત કરે છે. ચક્ષુ આદિ દર્શનાવરણચતુષ્ક તે દર્શનલબ્ધિની ઉત્પત્તિનું ઉચછેદક હોવાથી મૂળથી જ દર્શનલબ્ધિને ઘાત કરે છે. અને તેને ઘાત કરવા છતાં તથાસ્વભાવથી અને પશમથી અવશિષ્ટ રહેલી દર્શનલબ્ધિને, નિદ્રાદિ ઘાત કરે છે. એટલે નિદ્રાદિત પ્રાપ્ત થયેલી દર્શનલબ્ધિના ઉપઘાતમાં વતે છે. જાગૃત અવસ્થામાં ચક્ષુઆદિ દર્શનાવરણના ક્ષયોપશ– -મથી પ્રાણિઓમાં, વસ્તુના સામાન્ય સ્વરૂપના બોધની જે અસ્પષ્ટતા વતે છે, તે અસ્પષ્ટ સમજણ પણ નિંદ્રાથી ઘણી
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy