SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ પગલગ્રહણ અને પરિણમન ૧૪૧ નિમણ થવાની હકીક્ત કેટલાકને આશ્ચર્યકારી લાગશે, પરંતુ તેમાં કંઈ આશ્ચર્ય જેવું નથી. કારણ કે જીવ અને પુદ્ગલેની અચિંત્ય શક્તિઓ પ્રત્યક્ષ દેખાય છે, એકજ કારણથી થતા કાર્યમાં અનેક વિચિત્રતા ઉત્પન્ન થવાની પ્રત્યક્ષતા, એક સ્વરૂપવાળા એવા એક બીજાથી વિચિત્ર પ્રકૃત્યાદિવાળા વિચિત્ર અવયવોવાળી વનસ્પતિઓમાં આપણે અનુભવીયે છીએ. તદુપરાંત ભજનને કેળીયો ઉદરમાં પ્રવેશ્યા બાદ તેજ કેળીયાનું રસ-રૂધિર-માંસ-મેદ -અસ્થિમજજા અને વીર્ય, એ સાત ધાતુરૂપ વિવિધ રીતે થતું પરિણમન, તે આપણા જબેરેજના અનુભવની વાત છે. શરીરમાં સાત ધાતુઓની નિરંતર એક પ્રકારની રસાયનિક ક્રિયા ચાલ્યા કરે છે. જે ખેરાક ખાવાપીવામાં આવે છે, તે હોજરી અને આંતરડામાં પરિપકવ થઈ નાડીએમાં ખેંચાઈ તેમાંથી મળમૂત્ર જુદાં પડે છે. અને તેમાંથી સારરૂપ જે રસના સ્થાન હૃદયમાં જઈ હુદયમાંહેના મૂળ રસમાં મળે છે, અને ત્યાંથી શરીરમાં પ્રસાર પામી સર્વ ધાતુઓનું પિષણ કરે છે. હૃદયમાં ગયા પછી આ રસના ત્રણ વિભાગ થાય છે. ૧. સ્થૂલ ૨. સૂક્ષ્મ અને ૩. મળ. સ્કૂલરસ પોતાની જગ્યાએ રહે છે, સૂમમરસ ધાતુમાં જાય છે. અને મળ તે રસધાતુઓને મળમાં જઈ મળે છે. આહારમાંથી થતી આ રીતની રસાયનિક ક્રિયા
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy