SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દર્શનને કર્મવાદ તીર્થકરેએ પણ, પરમાણુવાદ એક સરખી રીતે જ કહ્યો છે. પ્રાકૃતિક નિયમ અંગે જૈન શાસનના કોઈપણ તીર્થકરનું કથન અન્ય તીર્થકરના કથનથી લેશમાત્ર પણ ફેરફારવાળું નહિં હોતાં એક સરખું જ હોય છે, અને રહેવાનું. એજ જૈન શાસ્ત્રમાં બતાવેલ વસ્તુ સ્વરૂપના પૂર્ણાશ સત્યની સાબીતીરૂપ છે. જૈન ધર્મ પ્રાચિન અને શાશ્વત હોવાથી પરમાણુવાદનું અસ્તિત્વ પણ પ્રાચિન અને શાશ્વત છે. જૈન ધર્મથી અજ્ઞાત માણસે કદાચ પોતાની અજ્ઞાનતાથી જૈન ધર્મને સંબંધ ભગવાન મહાવીર સ્વામીથી માની લે છે, ભગવાન મહાવીરદેવને જીવનકાળ પણ ડેમે"કેટસથી એક કરતાં કંઈક અધિક વર્ષ પૂર્વને હેવાથી, ડેમોક્રેટસના જીવનકાળ પહેલાં પણ પરમાણુવાદનું અસ્તિત્વ જૈન દર્શન દ્વારા ભારતવર્ષમાં પ્રચલિત હતું. ડેમોક્રેટસના સમય પહેલાં પરમાણુને ખ્યાલ વિજ્ઞાનક્ષેત્રમાં નહીં તેવા માત્રથી, તે ખ્યાલ જગતમાં કેઈને ન હતું, એ કહેવાની તે કઈ હિંમત કરી શકે તેમ નથી જ. પ્રાગદ્વારા ડેમોક્રેટસને સમજાએલ, પરમાણુ–પુદ્ગ'લનું સ્વરૂપ, ભગવાન મહાવીરદેવે ઉદ્દઘોષિત કરેલ પરમાણુ પુદ્ગલસ્વરૂપ પ્રમાણ આગળ એક સામાન્ય અંશમાત્રરૂપે હતું. ડેમોક્રેટસ પછી વિજ્ઞાનિક ક્ષેત્રમાં તે વિષય અંગે કંઈક વિકાસ વૃદ્ધિ થવા છતાં પણ તેમાં કંઈ ત્રુટી નથી, અગર તે વિજ્ઞાને હાલમાં માની લીધેલ માન્યતામાં પરિવર્તન થવાનું જ નથી, એમ કઈ કહી શકે તેમ નથી. કારણ કે
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy