SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૬૧ લક્ષ્મી અને સરસ્વતીને સંવાદ ઉપાડવી વગેરે જે કાંઈ કામકાજ હોય તે તમારે નિઃશંક રીતે અમને કહેવું. આ પ્રમાણે સાંભળી વૃદ્ધાએ કહ્યું, કે“હે ભદ્ર ! તમેએ સારૂં કહ્યું, પરંતુ તમારો સ્વામી અહીં આવી બહુમાન અતિ આદરપૂર્વક નિમંત્રણ કરે તે જ હું રહે, કેમકે ચિત્તની પ્રસન્નતા વિના કેઈને ઘેર રહેવું તે ઠીક નહીં. તે સાંભળી શેઠાણી બેલી કે–એટલાથી જ જે તમારા મનથી પ્રસન્નતા થતી હોય તે, તે પણ સુખે થઈ શકે તેમ છે. મારો સ્વામી આવા કાર્યમાં તે અત્યંત હર્ષ અને ઉત્સાહ સહિત પ્રસન્ન થઈને સર્વ કાર્ય કરે છે. ત્યારે તે વૃદ્ધાએ કહ્યું, કે-જે એમ હોય તે તેની અનુજ્ઞા વિના મારે અહીંયા રહેવું ગ્ય નથી. શેઠાણીએ કહ્યું, કે–તમે કહો તે, તેમને બોલાવીને અનુજ્ઞા અપાવું. વૃધાએ કહ્યું કે-તે ક્યાં ગયા છે? શેઠાણીએ કહ્યું, કે-કેઈ પરદેશી બ્રાહ્મણ આવેલું છે, તેની પાસે ધર્મનું શ્રવણ કરે છે. પણ તેમને હું હમણાં બોલાવું છું. વૃધ્ધાએ કહ્યું, કેજે એમ હોય તે તેમને ધર્મશ્રવણમાં અંતરાય ન કરવો જોઈએ. શેઠાણીએ કહ્યું, કે એવા તે પિતાના ઉદરના નિર્વાહ માટે ઘણું આવે છે. તેથી શું ઘરનું કાર્ય બગાડાય છે? એમ કહીને તે શેઠાણી દેડતી જ્યાં ઘરની અંદર રહીને વહુએ ધર્મ સાંભળતી હતી ત્યાં જઈ ઘરના બારણે ઉભા રહી પોતાના એક સેવકને બે ત્રણ બૂમ પાડીને બેલા, પણ તે શ્રવણમાં તલ્લીન થયેલ હોવાથી દુભાતે મને છતાં ત્યાં આવ્યું. શેઠાણીએ કહ્યું, કે-તું શેઠના કાનમાં જઈને કહે કે તમને ઘરમાં શેઠાણું બેલાવે
SR No.022651
Book TitlePaia Vinnana Kaha Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1973
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy