SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વયંભુદત્તની કથા ઃ ૧૦૬ [ ૨૩૯ ન્ન થઈ. તેણે વિચાર કર્યાં હવે હું નક્કી મરી જઈશ. કોઈપણ રીતે ભીલેા વડે હું મૂકાયા તે પણ યમ સરખા સપે મને ડશ દીધેા છે. અહા ! આ વિધિનું સ્વરૂપ કેવું વિચિત્ર છે? અથવા જન્મની સાથે મરણ રહેલુ છે. અને સયાગની સાથે વિયેાગ રહેલા જ છે. તેા અહિં શાક કરવા વડે શું? આ પ્રમાણે વિચાર કરતા જેટલામાં વૃક્ષની છાયા તરફ જાય છે, તેટલામાં તે વૃક્ષની નીચે રહેલા મહા સત્વશાળી વિચિત્ર એવા સાત નયના ભાંગાએથી અગમ્ય એવા સૂત્રને પરાવર્તન કરતાં પદ્માસને બેઠેલા ધીર અને મનથી નિળ ધ્યાન ધરતાં ચારણમુનિને જુએ છે, જોઇને ભયંકર વિષવાળા સના વિષથી વ્યાપ્ત થયેલા એવા મને આ વખતે હે ભગવંત! આપનું શરણુ છે આ પ્રમાણે ખેલતા ચેતના રહિત ત્યાં પડયા. હવે તે મુનિ ભગવત વષના વથી ચેતના રહિત તેને જોઇ કરૂણાથી વિચાર કરે છે– અહિં મારે શું કરવું જોઇએ ? કહ્યું છે કે—સર્વાં પ્રાણીઆને વિષે આત્માની માફ્ક જોનારા સાધુ ભગવંતાને પાપના પ્રયોજનમાં આસક્ત ગૃહસ્થાના ઉપકારમાં પ્રવૃતિ કરવી ઉચિત નથી. કારણ કે-તેના ઉપર ઉપકાર કરવાથી, ગૃહસ્થના સંગના દોષથી નિર્દોષ પ્રવૃતિવાળા સાધુએ ગૃહસ્થના પાપના અધ સ્થાનકનું કારણ બને છે, પણ જો તે ગૃહસ્થ સ સંગના ત્યાગ કરી જલ્દી પ્રવજ્યા સ્વીકાર કરી, સ કાર્યોમાં જોડાય તેા તેઓના નિમિત્તથી કરાએલી કમ નિર્જરા પણ થાય છે. આ પ્રમાણે વિચાર કરતા તે મુનિની
SR No.022651
Book TitlePaia Vinnana Kaha Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1973
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy