SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ વિક્રમાદિત્ય રાજાની ચેથી કથા ૭૬ હવે ફરી પણ દીવાની જેમ કન્યાના કંચુકને ઉદ્દેશીને જેગી કથા કહે છે–તે આ પ્રમાણે-હરિચંદ્રપુરમાં હરિસેન નામે રાજા હતેએક વખત શંકર નામને બ્રાહ્મણ ચેરી કરતા પકડાયે અને રાજાએ હણવા માટે આદેશ આપે. ત્યારે તે બ્રાહ્મણ કહે છે-રાજન ! કુમારપણે મરવામાં દેવગતિ થતી નથી. આ પ્રમાણે કૃતિ સંભળાય છે તેથી મારી જંઘામાં રહેલા પાંચ રત્નને આપી કઈ પણ બ્રાહ્મણ પુત્રી સાથે મને પરણાવી પછી મને મારજો. આ પ્રમાણે બ્રાહ્મણની વિનંતિથી રાજાએ પાંચ રત્ન આપવાપૂર્વક એક બ્રાહ્મણની પ્રિયમતી નામની કન્યા તેને પરણાવી. ત્યાર પછી તેને માર્યો. હવે પતિ મરી ગયા પછી સ્વેચ્છાચારિણી થયેલી તે પ્રિયમતી કોઈ પુરૂષથી થયેલા પુત્રને પિતાની નામમુદ્રાથી અંકિત કરી નગરની બહાર તેને ત્યાગ કર્યો. હવે ત્યાં ધર્મ નામના કુંભારે તે બાલકને પુત્રપણે રાખી મોટે કર્યો. એક વખત સંધ્યા સમયે માટીની ખાણ પાસે રૂપથી શેભતા એકલા ભમતા એ બાલકને હરિસેન રાજાએ જે. ધણી વિનાને આ મારે પુત્ર થશે. એમ વિચારી તેણે ગ્રહણ કરી રાજાએ રાણીને સેં. રાજાના મરી ગયા પછી તે રણસિંહ નામનો રાજા થશે. એક વખત શ્રાદ્ધદાનના અવસરે ગંગાનદીએ જઈ પિતાને પિંડ આપવાને તે તૈયાર થાય છે ત્યારે તેની આગળ તીર્થના પ્રભાવથી
SR No.022651
Book TitlePaia Vinnana Kaha Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1973
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy