________________
અતરની એક ઊમિ
વિ સ. ૨૦૨૬માં ૫.પૂ. શાસન સમ્રાટ તપાગચ્છાધિપતિ આચાર્ય મહારાજાધિરાજ શ્રીમાન વિજયનેમિસૂરીશ્વરજીના પટ્ટધર પ. પૂ. વાત્સલ્યવારિધિ પ્રશાંતમૂતિ આ. મ. શ્રી વિજયવિજ્ઞાન સુરીશ્વરજી મ. ના પટ્ટધર પ. પૂ. પ્રાકૃતવિશારદ ધરાન્ત આ. મ. શ્રી વિજયકસ્તુર સૂરીશ્વરજી મહારાજના પ. પૂ. ઉપાધ્યાય (હાલ આચાર્ય) મ. સા. ચંદ્રોદયવિજયજી મ. આદિ શિષ્ય પ્રશિષ્યાદિ પરિવાર સહિત સાબરમતી ચાતુર્માસ બિરાજતા હતા. તે પૂજ્યશ્રીની નિશ્રામાં શાસન પ્રભાવનાના અનેકવિધ કાર્યો અચિતવ્યા ઉમંગને ઉત્સાહથી થયા હતા. પૂજ્યશ્રીની પ્રેરણાથી સાબરમતીના પૂર્વ તેમ ઉત્તર વિભાગમાં ખે નૂતન જિનમંદિર બનાવવાના શુભ નિર્ણય થયો અને તે અંગેની પ્રવૃત્તિના પ્રારંભ થયા.
પૂજ્યપાદ ધર્મ રાજ્ય ગુરુદેવ શ્રીમાન ચાતુર્માસ બાદ વિહાર કરી સ. ૨૦૨૭નું ચાતુર્માસ ઉસ્માનપુરા અમદાવાદમાં કર્યું. જ્યારે સ ૨૦૨૮નું ચાતુર્માસ સુરેન્દ્રનગર કર્યું. સુરેન્દ્રનગર શ્રી સંધે પણ પૂજ્યશ્રીનું પ્રથમવાર ચાતુર્માસ હાવાથી શાસ્ત્રશુદ્ધ ચાલી આવતી વિજયદેવસૂરતપગચ્છ સમાચારીની ઉજ્જવલ પર’પરા અનુસાર જિનશાસનની પ્રભાવના કરવા—કરાવવા પૂર્વક ભવ્ય આરાધનાદિ સુકાર્યો કરી મહા લાભ લીધો. અને તેના શિખરરૂપે પ. પૂ. શાસનસમ્રાટ આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના જન્મ શતાબ્દી મહેાત્સવ તે મહાપુરુષના ગુણુવૈભવને છાજે તે રીતે શ્રી સંધે ઉજવ્યા. અને સુવર્ણમાં સુગંધની જેમ સ', ૨૦૨૯ના માગશર સુદ ૨ ના શુભ દિવસે ૫. પૂ. ઊપાધ્યાય શ્રી પરમપ્રભવિજય ગણી તથા પ. પૂ. ઉપાધ્યાય શ્રી ચંદ્રોવિજયજી ગણીને અદમ્ય ઉત્સાહપૂર્વક સુરેન્દ્રનગરની ધરતી ઉપર