SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ * પ્રાકૃત વિજ્ઞાન કથાઓ રાજમાર્ગમાં કેઈ એક શેઠને ઉત્તમ મહેલના ચોકમાં બેસીને દીન, અનાથ વાચકે ને દાન દેતા જોઈને પિતાના પિતાને કહે છે “આ શ્રેષ્ટિવર્યને રથમાં બેસાડો જેથી પ્રત્યુત્તર દેવામાં એનું પ્રયોજન છે. ત્યારબાદ મંત્રી વડે હુકમ કરાયેલા તે શેઠ રથમાં બેઠા. રથ આગળ ચાલ્યા. ફરી પણ બજારમાં રહેલા એક તવંગરના પુત્રને જુવે છે. જે પિતાના મરણ બાદ સાતેય પ્રકારનાં વ્યસનેમાં આસક્ત થયેલે પિતાની બધી લક્ષ્મીને નાશ કરતું હતું. તેને પણ જોઈને, પિતાને કહીને તેને પણ રથમાં બેસાડે છે. ફરી પણ આગળ જતી તે કઈ પણ મહાત્માને જુવે છે. તે મહાત્મા ઇયિને દમતા છતાં તપથી આત્માને વિચારતા વિચરે છે. તેમને પણ લઈને સ્નેહપૂર્વક બેલાવીને સાથે લઈ જાય છે. ત્યાર પછી આગળ જતી તે એક ભિક્ષકને જુએ છે. જે સદા અધમી, જીવ હિંસામાં તત્પર, ઘેર ઘેર ભિક્ષા માગીને કષ્ટપૂર્વક નિર્વાહ કરે છે. તે પણ ભિક્ષુકને રથમાં ચઢાવવામાં આવ્યો. એમ જુદા જુદા સ્વભાવવાળા માણસેથી યુક્ત મંત્રી, પુત્રીના રહસ્યને નહિ જાણતે જુદા જુદા વિચાર કરતે રાજાની સભામાં ગયો. ત્યારે બીજા પણ ઘણું નગરના માણસો મંત્રીને પ્રત્યુત્તર જાણવા માટે ત્યાં આવ્યા. સભામાં બેઠેલા રાજાએ યથા યોગ્ય સર્વને સત્કારીને, મંત્રીની સાથે આવેલા પુરુષોને જોઈને પૂછયું, “આ કેમ આવ્યા છે ? મંત્રી કહે છે આપશ્રીને પ્રત્યુત્તર આપવા માટે આ પુરૂષો લાવવામાં આવ્યા છે? રાજા કહે છે મારા પ્રશ્નને ઉત્તર જલ્દી આપે. મંત્રી કહે છે “આપશ્રીના આ પ્રશ્નને ઉત્તર મારી પુત્રી ચંદ્રકાન્તા આપશે. રાજા વડે પૂછાયેલી તે મંત્રીપુત્રી કહે છે “હે પુરૂષોત્તમ! આપશ્રીને “છે અને છે” રૂ૫ પહેલા પ્રશ્નને જવાબ આજ ઉત્તમ શેઠ ભણવા. એમ કહીને શ્રેણિવર્ય બતાવ્યા. રાજાએ કહ્યું “એ કેવી
SR No.022650
Book TitlePaia Vinnana Kaha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1976
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy