SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાકૃત વિજ્ઞાન કથાઓ લુબ્ધ આ જમાઈઓ કદાપિ જવાના નથી. તેથી તેઓને સમજાવવા જોઈએ.”, એમ વિચાર કરીને તે બ્લેકના પદની નીચે ત્રણ પદ લખ્યાજે વિવેકી હોય તે તે પાંચ છ દિવસ રહે છે પણ દહીં, દુધ,ગોળમાં આસક્ત જે એક મહિને રહે છે તે માણસ ગધેડાની જેમ માન વિનાને થાય છે. તે જમાઈઓ ત્રણ પદો વાંચીને પણ ખાવાના રસની લુપતાથી ત્યાંથી જવાને ઈરછતા નથી. સસરે પણ વિચાર કરે છે. કેવી રીતે આમને સમજાવવા ? સ્વાદિષ્ટ ભોજનમાં આસક્ત આ ગધેડા જેવા માન વિનાના છે. તે યુક્તિથી કાઢી મૂકવા જોઈએ પુહિત પિતાની સ્ત્રીને પૂછે છે–આ જમાઈઓને ભોજન માટે શું આપે છે ? તેણી કહે છે. અતિવહાલા જમાઈઓને (સવારબપોર સાંજ) ત્રણે વખત દહીં, ઘી, ગોળ મિશ્રિત ભજન અને પકવાન હંમેશાં આપું છું” પુરોહિત સ્ત્રીને કહે છે – આજથી માંડીને તારે જમાઈઓને વજ જેવો કઠણ જાડે રટલે ઘી સહિત આપ.” પતિની આજ્ઞા ન ઓળંગી શકાય એમ વિચારીને તેણીએ ભજન સમયે તેમને જાડો રેટ ઘી સહિત આપે છે. તે જોઈને પહેલે મણીરામ જમાઈ મિત્રોને કહે છે – હવે અહીં રહેવું યોગ્ય નથી. પોતાને ઘેર આના કરતાં પણ સ્વાદિષ્ટ ભોજન છે. તેથી અહીંથી જવું જ શ્રેષ્ઠ છે. સવારે સસરાને કહીને હું જઈશ.' તેઓ કહે છે–“અરે મિત્ર, મફતનું ભજન કયાં હેય? આ વજી જેવો કઠણ રેટલે સ્વાદિષ્ટ ગણીને ખાવે કારણ કે લેકમાં પારકું અન્ન દુર્લભ છે એ કહેવત તે શું નથી સાંભળી ? તારી ઈચ્છા હોય તે જા, અમે તે સસરા કહેશે ત્યારે જઈશું. એમ મિત્રોનું વચન સાંભળીને
SR No.022650
Book TitlePaia Vinnana Kaha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1976
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy