SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ પણ ઉપકાર થઈ શકશે. અને એવું ઘણી વખત બનતું આપણે સાંભળીએ છીએ, સ્મરણચિન્હો અત્યન્ત આશ્ચર્યકારી હોય છે. તેથી મારા આ કહેવા ઉપર અવિશ્વાસ લાવવાથી જરૂર નથી. તેમજ હું આ બધું અજ્ઞાનથી બોલું છું એમ પણ માનવાને કારણ નથી હવે, પ્રાર્થના ભંગ કરીને મને દુઃખી કરશો નહીં.” એમ કહી ગળેથી ઉતારી હાર રાજાને આપ્યો, ને દેવના સૌજન્યથી વશ થઈ જઈ જરા આગળ આવી નિઃસ્પૃહ છતાં, બીજા ઉપર ઉપકાર કરવાને ઉત્સુક છતાં બે હાથ લાંબો કરી હથેળીમાં હાર લીધો. દેવ એકદમ અદશ્ય થઈ ગયો. દેવના અદશ્ય થયા પછી વિસ્મિત રાજાએ એકવાર ધારી ધારીને હાર જોઈ લીધો, પછી ખેસને છેડે બાંધી લીધો. મંદિરમાં જઈ શ્રીઆદિદેવને પ્રણામ, સ્તુતિ કરી, બહાર આવ્યો.
SR No.022646
Book TitleTilakmanjari Katha Saransh
Original Sutra AuthorN/A
AuthorRavikantvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy