SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ થોડી વારે નિઃશ્વાસ મુકી, આશ્વાસન પામી ખભા ઉપર લચી પડતે ગળે ગદ્ગદ્ કંઠે બોલી:– “આર્ય પુત્ર ! સંતાનપ્રાપ્તિ માટે જ પધારતાં હું આપને આડે આવતી નથી. પણ આટલું તો વિનવું છું કે-તમારી જેમ મારે પણ દેવની આરાધના કરવી છે. તો મને છોડીને એકલા કેમ જાઓ છો ? અથવા એમ કહો કે મેં કરેલ આરાધન તે તેં જ કર્યું કહેવાય, તે વાત પણ ખરી છે. પણ બીજા અંતઃપુરની ઉપેક્ષા કરી મારે માટે આપવ્રત આચરશો. એ હું સેંકડો ઉપાયે માનવાની નથી. વળી આપના સિવાય હું એક ક્ષણભર પણ, એકલી રહી શકું તેમ નથી. માટે મારે પણ અવશ્ય અરણ્યમાં આવવું છે. મને ગણકાર્યા વિના જવું હોય તો પધારો. તમારું કામ સિદ્ધ થાઓ. અત્યારથી જ હવે આપનું છેલ્લું દર્શન કરી લઉં છું !'' એમ કહીને ઘણીવાર મનાવી છતાં ફક્ત નીચે મુખે આંસુ ગાળી રોયા કર્યું. કંઈપણ જવાબ ન આપ્યો. આ અત્યારે નકામી મારી સાથે આવવાની હઠથી મને જતો અટકાવે છે. તો આપે પણ તેને ઉચિત શિખામણ આપવી ઘટે છે.” એ પ્રમાણે રાજા બોલતો હતો તેવામાં તેઓના ઉદ્વેગનું કારણ જાણી લઈ મુનિ યોગનિદ્રામાં પડ્યા. થોડીવારે આંખ ઉઘાડી હર્ષથી બોલ્યાઃ— “રાજન્ ! અપત્ય પ્રાપ્તિને પ્રતિબંધક કર્મ હજુ તમારે ભોગવવું બાકી છે. પણ મનમાં ધીરજ રાખો, જરા પણ વિષાદ ન કરો. આ તમારી પ્રાણપત્ની સાથે આડા ચાલી ખેદ ઉત્પન્ન ન કરો. અરણ્યમાં જવાનું છોડી દો. ઘેર રહીને જ દેવતાની
SR No.022646
Book TitleTilakmanjari Katha Saransh
Original Sutra AuthorN/A
AuthorRavikantvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy