SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ ઉત્કર્ષનું પ્રકાશક છે. ઘણી જ ખુબીથી કવિએ, એ ભવભૂતિની ભારતીને વખાણી છે. ‘સ્વષ્ટભાવરસાવિત્રે: પન્યાસૈ: પ્રતિતા । नाटकेषु नटस्त्रीव भारती भवभूतिना ॥" 44 ૩૧મા શ્લોકમાં વાતિરાજના ‘ગૌડવધ’ ની કીર્તિ છે. ૩૨મા શ્લોકમાં શ્વેતાંબર શિરોમણિ શ્રી બપ્પભટ્ટી-ભદ્રકીર્તિસૂરિના બનાવેલા ‘તારાગણ’ નામના કાવ્યનું સંકીર્તન કર્યું છે. ૩૩મા માં યયાવર રાજશેખર કવિની વાણીને વખાણી છે. ૩૪મો શ્લોક કવિએ પોતતના ગુરુશ્રી મહેન્દ્રસૂરિનાં વચનોની પ્રશંસા માટે લખ્યો છે. પછીના બે શ્લોકોમાં રૂદ્રકવિની ત્રૈલોક્યસુંદરી'ની તથા તેના પુત્ર કર્દમરાજની સૂક્તિઓની પ્રશંસા છે. આવી રીતે સ્વમત તથા ૫૨મતમાં થઈ ગયેલા મહાકવિઓની ઉદાર વૃત્તિથી ભૂરિ ભૂરિ પ્રશંસા કરી ઉપસંહાર કરતાં કહે છે કે केचिद्वचसि वाच्येऽन्ये केऽप्यशून्ये कथारसे । केचिद्गुणे प्रसादादौ धन्याः सर्वत्र केचन ॥ આના પછીના ૪ કાવ્યોમાં, પરમાર, વૈરસિંહ, સીયક, સિંધુરાજ અને વાતિરાજનું વર્ણન છે. ૪૩ થી ૪૯માં કાવ્ય સુધી કવિના આશ્રયદાતા રાજા ભોજના પ્રતાપ અને પ્રભાવનું વર્ણન છે, ૫૦માં કાવ્યમાં પ્રસ્તુત કથાની ઉત્પત્તિનું કારણ દર્શાવ્યું છે. ૫૧-૫૨માં કાવ્યમાં પોતાના પિતામહ અને પિતાની પ્રશંસા કરી સ્વવંશનું કિર્તન કર્યું છે. “મધ્ય દેશમાં આવેલા સાંકાશ્યામા પ્રદેશમાં દેવર્પિનામા દ્વિજ હતો કે જેનો પુત્ર સર્વ શાસ્ત્રમાં કુશળ સ્વયંભૂ જેવો સર્વદેવ નામા મ્હારો પિતા છે.” આમ સંક્ષેપમાં પોતાનું પૂરાતન વાસસ્થાન અને કુલ પ્રકાશિત કરી છેલ્લા કાવ્યમાં કવિ કહે છે કેઃ
SR No.022646
Book TitleTilakmanjari Katha Saransh
Original Sutra AuthorN/A
AuthorRavikantvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy