________________
૩૩
મોકલી કહેવરાવ્યું કે ભોજ તમારો ઘાત કરશે. માટે મારે ઘેર ચાલ્યા આવો.'' ખરેખર ભોજે તે પ્રમાણે કર્યું, એટલે ઉપાશ્રયની ચારે તરફ ઘોડેસવારોની ટુકડી ગોઠવી દીધી, સૂરી વેશ બદલી ધનપાળને ત્યાં રહ્યા. પછી કેટલાક તંબોળી લોકો ગુજરાતમાં આવવાના હતા તેઓને જમાડી સો સોનામહોર આપી સૂરિને ગુજરાતમાં સહી સલામત પહોંચાડી દેવા ભલામણ કરી. સૂરિ ગુજરાતમાં સુખે પહોંચી ગયા. આ રીતે ધનપાળે સૂરાચાર્યને બચાવવામાં મહેનત લીધી હતી.
★
પાછલી વયમાં ધનપાળ ધારામાં જ રહ્યો. પણ તેણે હવે પછીનો વખત નિવૃત્તિમાં જ ગાળ્યો. શ્રી મહેન્દ્રસૂરિ પાસેથી ગૃહસ્થ ધર્મ બરોબર સમજી ઉંચા પ્રકારે તેની પાલના કરી.
ધનપાળ મહેન્દ્રસૂરિનો અનન્ય ભક્ત હતો. તેમના માટે ધનપાળ પોતે શું કહે છે ? જુઓ—
सूरिर्महेन्द्र एवैको वैबुधाराधितकमः । યસ્યાડમર્ત્યપિતપ્રૌઢિ: વિવિયન્દ્વન્દ્વ: શ્ ॥ (તિલકમંજરી)
(વિદ્વાનોએ સેવેલા શ્રી મહેન્દ્રસૂરિ એકલા જ છે. દેવતાઓ વડે સેવાતો મહેન્દ્ર પણ એક જ છે. જેનું વચન કવિઓને વિસ્મય પમાડનારું અને દૈવિ પ્રૌઢિને વહન કરનારું છે.”
ભોજરાજે તેની નિવૃત્તિમાં જેમ બને તેમ મદદગાર થવાય તેવા સાધનો અને સગવડ પણ યોજી આપ્યા છેવટે ચૂસ્ત શ્રમણોપાસક થયો હતો. એ બાબતનું સર્ટિફીકેટ શ્રી યશોવિજયજી ઉપાધ્યાય પણ આપે છે. ધર્મપરીક્ષામાં ‘પરમશ્રાવણ ધનપાતેનાપ્યુમ્— ''
શોભન મુનિએ યમકમય ‘મવ્યાન્મોન’ ઈત્યાદિ સ્તુતિ બનાવી તેના પર ધનપાળે જ ટીકા લખી છે.