________________
૨૧
કરો. F વ:પાતુ નિન: । ને બદલે સ વ:પાતુ શિવ: ।, અયોધ્યાને બદલે ધારા નગરી મૂકો. શક્રાવતારને બદલે મહાકાળેશ્વરના મંદિરનું વર્ણન કરો. વૃષભ દેવને બદલે શંકરનું નામ મૂકો, અને મેઘવાહન રાજાને બદલે મારું નામ, આ રીતે આનંદથી ભરેલી આ કથા જગતમાં હમ્મેશ યશ પામતી રહે ને તું માગે તે આપું.”
ધનપાળથી આ શબ્દો સાંભળી શકાયા નહિ. તેને ઘણો જ કંટાળો આવ્યો. અને બોલી ગયો–
“મહારાજ ! માલવાધીશ ! દુધના પાત્રમાં મદિરા નાંખવા જેવું થશે. ક્યાં સૂર્ય, ક્યા ખજુઓ, ક્યાં સરસવ, ક્યાં મેરૂ ? ક્યાં કાંચ ને ક્યાં કનક ? ક્યાં ધતૂરો ને ક્યાં કલ્પવૃક્ષ ?'' અહા !શેષે સેવાવિશેષ યે ન જ્ઞાનન્તિ દ્વિનિવ્રુતામ્ यान्तो हीनकुलाः किं ते न लज्जन्ते मनीषिणाम् (તિલકમંજરી પ્રસ્તાવનામાં ૧૦મો શ્લોક) (શેષનાગની સેવા વિશેષને ન સમજનાર હિનકુળના સર્વપણું પામેલા સર્પો વિદ્વાનોમાં હાસ્યપાત્ર નથી ? શ્લેષ હોવાથી બીજો અર્થ—શકાર, ષકાર અને સકારમાં ભેદ નહિ જાણનારા નીચ કુળમાં ઉત્પન્ન થયેલા દ્વિજીāતા (કપટ) રાખતા હશે. તેઓ શું ડાહ્યા માણસોથી શરમાતા નહીં હોય ?)
ભોજના ક્રોધની અવધિ થઈ.
“અરે મૂર્ખ ! લોભી ! લાલચૂ ! તને શું કરું ? લુચ્ચા ! ભોગવ છૂટનું ફળ.’
એમ કહી પુસ્તક પાસેની સગડી પર મૂક્યું. ગ્રંથ સરસરાટ બળી ગયો.
ધનપાળે વરાળ કાઢી