SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૫ સ્થાપી. શહે૨ે શહેરે દરવાજા બહાર શાંત સ્થળે દેવમંદિરો બંધાવ્યા. આ રીતે પૂર્વભવના પુણ્યાનુબંધી પુણ્યથી મળેલું એકછત્ર રાજ્ય પાળવા લાગ્યો. આ દરેક કામોમાં સમરકેતુને દરેક સ્થળે સાથે જ રાખતો હતો. ઘણા વિદ્યાધર રાજાઓએ કન્યાઓના શ્રીફળ મોકલાવ્યા, પરંતુ તિલકમંજરી સિવાય બીજી સ્ત્રીનો વિચાર જ માંડી વાળ્યો. બીજું બધું તૃણવત્લખી. કોઈ દિવસ પૂત્રના વૈભવથી ખુશી થયેલા ચંદ્રકેતુ રાજા પાસે સિંહલદ્વિપમાં, કોઈ દિવસ બંધુસુંદરીએ બનાવેલા સમરકેતુ-મલયસુંદરીના પ્રથમ મેળાપ સ્થળમાં, કોઈ દિવસ જમાઈને જોઈ ખુશી થવા કુસુમશેખર અને ગંધર્વદત્તાના તેડાવવાથી કાંચીના બગીચાઓમાં, કોઈ દિવસ જેમાં મલયસુંદરીએ વનવાસનું દુ:ખ ભોગવ્યું હતું. તે મલય પર્વત પરના પ્રશાંતથૈર તાપસાશ્રમમાં, અને કોઈ દિવસ પ્રિયંવદાના સ્નેહથી મોહિત સમરકેતુ અને તિલકમંજરીના આગ્રહથી રત્નકૂટ પર્વત ૫૨, કોઈ દિવસ સમૂદ્રમાં પડતી જોઈ દયા આવવાથી મહોદરે પોતપોતાને ઘેર મૂકેલી રાજકન્યાઓએ સમરકેતુ સિવાય બીજા સાથે લગ્ન નહીં કરવાનો નિશ્ચય કરેલો હોવાથી મલયસુંદરીની સમ્મતિ લઈ તેઓના લગ્ન સમરકેતુ સાથે કરવામાં રોકાતો હતો. કોઈ દિવસ તિલકમંજરીને અર્ધ આસન પર બેસાડી વિમાન દ્વારા પ્રસિદ્ધ સિદ્ધાયતનોવાળા જિનમંદિરોની યાત્રા કરતો હતો, ને કોઈ દિવસ સૂરગિર ૫ર દેવતાઓએ કરેલો જિનજન્મોત્સવ જોતો હતો અને વસો ગાળતો હતો. - તિલકમંજરી અને પ્રિયાસહિત સમરકેતુ સાથે કદી વિયોગ
SR No.022646
Book TitleTilakmanjari Katha Saransh
Original Sutra AuthorN/A
AuthorRavikantvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy