SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ ર મોકલ્યો. કુમાર હરિવહન સાંજે ઘેર આવ્યો. સવારે સભામાં ગયો. ત્યાં તિલકમંજરીના આવ્યાથી ઉત્સવ શરૂ કરી અભિષેકમાં માંગલિક કરવા માટે રાજા ચક્રસેને મોકલેલા પ્રધાનોએ દિવ્ય વસ્ત્ર, વિલેપન, અલંકારો વગેરે ભેટ મૂકી પૂજા કરી. થોડો વખત ત્યાં રહી હરિવાહને સત્કારેલા પાછા ગયા. દેહારોગ્ય પૂછવા વારંવાર મોકલેલા માણસો દ્વારા સ્નેહ બતાવતા રાજા ચક્રસેનને મળવા એક દિવસે સપરિવાર દક્ષિણ શ્રેણીમાં ગયો. રાજા સામે ગયા. ઉતારો આપ્યો અને બપોરનું ભોજન કરાવ્યું. બપોર પછી જવાની રજા માગી, પણ ચક્રસેન રાજાએ કેટલાક દિવસ ત્યાં જ રહેવા આગ્રહ કર્યો. પરોપચારમાં પરાડગમૂખ છતાં તિલકમંજરીના પ્રેમપાશે પાધ(પાંચ)રો કરેલા (પ્રાધ્વંત:) તેણે રાજાનું વચન માન્ય કર્યું. એક દિવસે શુભમૂર્ત તિલકમંજરી સાથે મહોત્સવપૂર્વક લગ્ન થયું. કન્યાપક્ષના સગાઓને આનંદ આપવા પૂર્વે અનુભવેલા દેવલોકના સુખો ભૂલાવે તેવા અવનવા આનંદમય કેટલાક દિવસો ત્યાં રહ્યા. સ્વ કે પર, અર્થી કે અનર્થી, ને ગુણી કે નિર્ગુણીનો વિભાગ કર્યા વિના દક્ષિણ શ્રેણીના વાચકોને પુષ્કળ દાન આપ્યું. પછી ચિત્રલેખાએ શણગારેલી તિલકમંજરીને આગળના ભાગમાં બેસાડી પોતાના જયહાથી પર આરૂઢ થયો. મસ્તક પર ધારણ કરાયેલા શ્વેત છત્ર વડે સૂર્યચંદ્રના તેજને ફીકું પાડ્યું. બન્ને તરફ બે ચામરો વીંજાવા લાગ્યા. આગળ ચારણો યશ, પ્રતાપ, દાન વગેરે ગુણોના વર્ણનાત્મક સ્તોત્રો ગાવા લાગ્યા. છેવટે પ્રયાણ કરી ગગનવલ્લભ નામના નગરમાં આવ્યા. પ્રવેશ
SR No.022646
Book TitleTilakmanjari Katha Saransh
Original Sutra AuthorN/A
AuthorRavikantvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy