SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ એમ કહી રવાને કર્યો હતો, તે ચિત્રમાય હાલ જ આવેલ છે. અને બારણે ઉભો છે.” સાભળતાં જ ભયને લીધે જાણે નિર્જીવ હોય તેમ તેના મ્હોંમાંથી એક શબ્દ પણ ન નીકળી શક્યો. માત્ર ઉના શ્વાસને લીધે બળતા હોઠને ઠંડા કરવા બન્ને આંખોમાંથી અશ્રુજળની ધાર છોડી. પછી મલયસુંદરીએ બોલાવ્યો એટલે તે અંદર આવ્યો અને પ્રણામ કરી બોલ્યો, બા ! આપનો હુકમ થતાંની સાથે જ એકશૃંગે જઈ કુમાર હરીવાહનની શોધ કરી-પુષ્કળ શોધ કરી. પણ ક્યાંય પત્તો લાગ્યો નહીં. તો પણ પત્તો લગાડવા વિદ્યાધરોને મોકલી દીધા છે. તે સમાચાર આપવા હું અહીં દોડી આવ્યો છું.” દેવીનું હૃદય ભરાઈ ગયું, હૃદયમાં શોકાગ્નિ એકાએક સળગી ઉઠ્યો, તેમાંથી જાણે ધૂમાડો નીકળી માં પર છવાઈ ગયો હોય તેમ મુખ શ્યામ થઈ ગયું. માત્ર દયામણી નજરે મલયસુંદરી સામે જોયું. તે સંતપ્ત હતા તો પણ“સ્વેચ્છાચારિણી ! આ બધાં વાંનાં તારા જ છે. તેના અનર્થનું કારણ તું જ છો. હવે ઉઠ, તીર્થયાત્રા હાલ રહેવા દે. કુમાર દૂર ન નીકળી જાય તેટલામાં જાતે જઈને તપાસ કર. મારા મનમાં કંઈ કંઈ શંકાઓ થાય છે. તારા ઘેરથી નીકળી જવાની વાત સાંભળીને કોણ જાણે તે શું યે કરશે ?” તુરત જ વિમાન લાવવામાં આવ્યું, તેમાં બેસી રસ્તામાં
SR No.022646
Book TitleTilakmanjari Katha Saransh
Original Sutra AuthorN/A
AuthorRavikantvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy