SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ તમારું ફરી ગયું છે. સ્પર્શને પણ અયોગ્ય તેમની પાસે જઈ કુળનું નામ બોળવું છે ? આપણા ચતુર્વેદવેદી વડવાઓ દરેક કરતાં ચૂસ્ત ગણાય છે. વિદ્વત્તા અને અનુષ્ઠાનોને લીધે સાંકાશ્યમાં કેટલા પવિત્ર ગણાય છે ? તે તમે નથી જાણતા? તુચ્છ સંપત્તિ ખાતર આ અકાર્ય? “પણ હવે શું કરવું ?” “જવા દો એ વાત, મારાથી એમાંનું કાંઈ બનનાર નથી. ભોજરાજાનો બાળમિત્ર, મારી પ્રતિષ્ઠા, ચૂસ્ત વૈદિક રાજા ભોજનો આશ્રય આ બધાનો વિચાર મારે કરવો જોઈએ. તમારા એક ખાતર પિતૃઓને નરકમાં પાડવા ? તમને ફાવે તેમ કરો. હું એ કંઈ સાંભળવા માગતો નથી.' ધનપાળ પોતાને કામે બહાર ચાલ્યો ગયો. તેવામાં નાનો શોભન આવ્યો. “પિતાજી ! કેમ આમ ?” કંઈ નહીં, બેટા !” “નહીં નહીં, આપ જે હોય તે જણાવો. હું આપને આ રીતે ઉદાસ જોઈ શકતો નથી.” “હા, એ વાત તો ખરી છે. મોટા ભાઈ પણ અગાઉ કદી આ રીતે જોઈ શકતા નહીં.” શું મોટા ભાઈએ આપનું અપમાન કર્યું ?” “હવે એતો કંઈ નહિ. રાજ્યમાન્ય છે.” તો પછી ઉદાસીનતાનું કારણ શું ?” “નકામું કહેવાથી શું ?”
SR No.022646
Book TitleTilakmanjari Katha Saransh
Original Sutra AuthorN/A
AuthorRavikantvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy