SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૧ પર્વતપર ગયા, જેનો મહિમા સ્વયં ભગવાન નાભિનંદને જ પોતાના નિર્વાણથી વધાર્યો હતો. ત્યાં જઈ ઋષભદેવ પ્રભુની અને ભવિષ્યમાં થનારા બીજા ત્રેવીસ તીર્થકરોની વર્ણ, આકૃતિ, ઉંચાઈ વગેરેમાં બરોબર જે પ્રમાણે છે તે પ્રમાણે ભરત મહારાજાએ ભરાવેલી પ્રતિમાઓથી શોભતાં ચૈત્યોને ઠેકઠેકાણે વંદન કરવા જતાં એક ચારણ મુનિને જોયા. તે કોઈ બીજા દ્વિપમાંથી હમણાં જ આવેલા હતા. કોઈ સિદ્ધાયતનના ઓટલાની વિશાળ શિલા પર બેઠા હતા. થોડા વખત પહેલાં જ તેમને કેવળજ્ઞાન થયું હોય એમ જણાતું હતું. સામે સિદ્ધો, વિદ્યાધરો, બેઠા હતા, દેવતાઓ આદરપૂર્વક પુષ્પવૃષ્ટિ કરતા હતા. તેના ગુણ સ્તોત્રો ગાતાં હતાં, તે મુનિહર્ષ અને વિષાદરહિત જણાતા હતા. તેઓશ્રીને જોઈ નિર્વેદ ઉત્પન્ન થતાં પાસે જઈ પ્રણામ કર્યો, અને સખીમંડળ સાથે બાજુમાં નજીક જ બેઠી. લોકો પૂછતા હતા તેને ભગવાન તેના પૂર્વભવની કથા કહેતા હતા, દુ:ખપૂર્વક સાંભળતી તીલકમંજરીની આંખમાં આંસુ ભરાતા હતા અને એક ચિત્તે સાંભળતી, તેને જોઈ વીરસેન નામના વિદ્યાધરે દયા લાવી પૂછ્યું ભગવાન ! દક્ષિણ શ્રેણીના રાજા ચક્રસેનની પુત્રી તિલકમંજરી બાળા છતાં વૃદ્ધાની પેઠે અને યૌવનમાં રહેલી છતાં વનમાં રહેલીની પેઠે જન્મથી જ કેમ પુરૂષદ્રષિણી થઈ હશે ? શરીર સારું છતાં ગઈ કાલે તેને એકાએક મૂછ કેમ આવી ગઈ હશે ? વિષયોપભોગ છોડીને સખીમંડળ સાથે એકદમ ઘેરથી કેમ નીકળી આવી ? બધાં અલંકારોનો ત્યાગ કરી માત્ર એક આ
SR No.022646
Book TitleTilakmanjari Katha Saransh
Original Sutra AuthorN/A
AuthorRavikantvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy