SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૯ આ વાત સાંભળી આશ્ચર્ય ઉત્પન્ન થવાથી જરા મુખ ત્રાંસુ કરી દેવીએ મલયસુંદરીને પૂછયું – “આર્યો ! કુમારે ગંધર્વકને પહેલાં જોયો હશે ?'' મલયસુંદરી–“સખી ! કુમારને જ પૂછ, હું કંઈ જાણતી નથી.” પછી મેં કહ્યું – “આ ગંધર્વકને જ જોયો હતો, એટલું જ નહીં, પણ દેવી ! તમને પણ આ મહાત્માની મહેબાનીથી ખૂબ વાર સુધી જોયા છે !!” પછી બધી પેલા ચિત્રની વાત કહી સંભળાવી. ગંધર્વકને મેં પૂછ્યું ગંધર્વક ! ભાઈ !! તે દિવસે અમારી પાસેથી નીકળી તું ક્યાં ગયો હતો ? આટલા દિવસ ક્યાં રોકાયો ? આટલો બધો વખત ગુમાવવાનું કારણ શું ? અને આજે વીજળીના જબકારા માફક અકસ્માતું ક્યાંથી પ્રગટ થયો ?” હર્ષપૂર્વક આ પ્રમાણે પૂછ્યું એટલે દુઃખનું સ્મરણ થવાથી એકદમ તેની આંખમાં આંસુ આવી ગયા, પછી એક નિઃશ્વાસ મૂકી ધીમેથી તેણે પોતાની વાત કહેવી શરૂ કરી કુમાર ! હું મંદભાગ્ય આપને શું મારી વાત કહું ? તે દિવસે મત્તકોકિલોદ્યાનમાંથી નીકળીને તે જ દિવસે સાંજે ત્રિકૂટપર્વત પર ખેચરેન્દ્ર રાજધાનીમાં પહોંચી ગયો. ત્યાં જતાંની સાથે જ મિત્રો મળ્યા, હર્ષચિત્તે તેઓએ મારો સત્કાર કર્યો, પછી રાત્રે જ વિદ્યાધર ચક્રિ વિચિત્રવીર્યને મળ્યો. તેઓને બધા સંદેશા કહી સંભળાવ્યા. સવારે દેવી પત્રલેખાએ મંગાવેલું ઉનાળામાં પણ સુખેથી મુસાફરી કરી શકાય એવું હરિચંદનનું વિમાન
SR No.022646
Book TitleTilakmanjari Katha Saransh
Original Sutra AuthorN/A
AuthorRavikantvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy