SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૫ તે ગઈ, તેવામાં થોડા પરિવાર સહિત મૃગાંકલેખા આવી ને ઉતાવળે ઉતાવળે કહેવા લાગી મલયાબા ! ઉચિતાનુચિતનો વિચાર હવે જવા દો. ઉઠો જલ્દી, બધી વિદ્યાધર કુમારીઓ ઉભા રહેવાથી કંટાળી ગઈ છે, દેવી તો બારણે થાંભલો પકડીને ઉભા છે. ને તમારી રાહ જુએ છે. અને કહે છે કે “જ્યાં સુધી આપ આર્યા પધારશો નહીં ત્યાં સુધી હું અહીંથી જવાની જ નથી.” મલયસુંદરી–“મૃગાંકલેખા ! હવે હું કંઈ કહી શકું તેમ નથી. ચાલો, એમ કરવું જ પડશે ?” એમ કહી ચતુરિકા સાથે લજ્જાપૂર્વક જવા નીકળી. પોતાના કરપલ્લવથી મારો હાથ પકડી મુગ્ધસ્મિતા મૃગાંકલેખાએ મને આસન પરથી ઉભી કરી. ને તિલકમંજરી તરફ લઈ ગઈ. હું એ તરફ ગયો. મૃગાંકલેખા મને ખેંચતી હતી, તે જોઈ તેણે પ્રીતિથી મારી સામે જોયું, જરા છુપી રીતે સ્મિત તેના મુખ પર લટાર મારી ગયું, ઢીલી પડતી વેણીને વારંવાર યત્નપૂર્વક બાંધતા બાંધતા તે મલયસુંદરી સાથે હાથણી પર ચડી. પરિવાર મારી સાથે રાખીને કેટલીક વિદ્યાધર કન્યાઓ સાથે પોતાના મુકામ તરફ અગાઉથી ગઈ. હું પણ વિમાનમાં બેસીને મૃગાંકલેખા સાથે વિનોદ કરતો કરતો વિદ્યાધરરાજની રાજધાની રથનૂપુરચક્રવાલ નગરમાં આવી પહોંચ્યો. પેસતાંની સાથે જ હું આમતેમ શહેરની શોભા જોવા લાગ્યો, જોવામાં એટલો બધો તલ્લીન થઈ ગયો, જાણે અચેતન
SR No.022646
Book TitleTilakmanjari Katha Saransh
Original Sutra AuthorN/A
AuthorRavikantvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy