SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ તેઓ જ છે. જો કે બીજી પણ વાસવદત્તા વગેરે ગદ્યકથાઓ છે. પણ “ વાછરું ના'' એ વાક્યમાંથી અતિશયોક્તિને માત્રા બાદ કરીએ તો પણ ઘણે અંશે તેમાં સત્યાંશ છે. એ તો કહેવું જ પડશે. જેમ પહેલ કરનાર તેઓ છે તેમ અંત લાવનાર પણ તેઓ જ છે. એટલે એમના પછી એવી જાતની કથા જ કોઈ લખી શક્યું નથી એમ વિદ્વાનોનો અભિપ્રાય છે. જો કે આમ કેટલેક અંશે બન્યું (૪) કાદંબરીની સ્પર્ધા કરે અને કોઈ કોઈ ગુણોમાં તો તેના કરતાં પણ વધી જાય એવો ગ્રંથ બાણભટ્ટ પછી લગભગ ત્રણસો વર્ષ તૈયાર થયો છે. આ મારી વાત નવી લાગશે. કારણ માત્ર એટલું જ કે જેના સંબંધમાં હું કહેવાનો છું તે ગ્રંથનો હાલના ઘણા થોડા વિદ્વાનોને જ પરિચય હશે. તેમાં વળી તેના તરફ આદર બહુ થોડાને જ હશે કે નહિં હોય. (૫) ભોજરાજના બાળમિત્ર કવિ ધનપાળે મિત્રરાજાની ખાસ માંગણીથી આ ગ્રંથ બનાવ્યો છે. તેનું નામ “તિલકમંજરી' છે. કાદંબરી કરતાં પ્રમાણમાં કંઈક મોટો છે. કવિ ધનપાળ જ્ઞાતે બ્રાહ્મણ અને જૈન છે. એમાં શી વાત છે ? શું લખ્યું છે? એ વાતનો જે વર્ગ તેના તરફ પૂજ્યભાવ ધરાવે છે. તેમાંના પણ પાંચ દશગણ્યાગાંઠ્યા જ જાણતા હશે. ન જાણી શકે તેનું કારણ છે-એ ગ્રંથ જો કે નિર્ણય સાગરમાં છપાયો છે છતાં એક પ્રત પરથી છાપેલ હોવાથી ઘણો ભાગ અશુદ્ધ છે. એટલે વાંચનારને સંબંધ બેસાડવો મુશ્કેલ પડે અને સંબંધ ન બેસે એટલે કંટાળો આવે એ સ્વાભાવિક (૬) હું તેમાં અવગાહ કરી શક્યો તેનું કારણ મારે બતાવવું જ પડે. પ્રજ્ઞાચક્ષુ પંડિતજી સુખલાલભાઈએ પાટણમાં રહી તાડપત્રની કે બીજી અનેક પ્રતો ભંડારમાંથી કઢાવી એ પુસ્તક શુદ્ધ કરી હંમેશને
SR No.022646
Book TitleTilakmanjari Katha Saransh
Original Sutra AuthorN/A
AuthorRavikantvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy