SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. ગાંધર્વ લગ્ન હાથ જોડી કુમારને કહેવા લાગી કુમાર ! “સ્ત્રીઓ વક્ર સ્વભાવની હોય છે, ને પુરૂષો સ્વભાવથી જ સરળ હોય છે.” આ કહેવત જુઠી છે, એમ મને આજે જ જણાય છે. કેમકે પૂછ્યા વિના જ મેં તો બધી ગુપ્તવાત કહી દીધી. ને આપ તો પૂક્યા છતાં આટલું યે કહેતા નથી. કહ્યા વિના કેમ જાણે કે–‘તમે જ આના પ્રિય છો.” પણ માફ કરશો, ઘણો વખત થયા ઈચ્છતી હતી તેનું જ દર્શન અનુકૂળ વિધિએ કરાવ્યું છતાં, પ્રથમ મેળાપ વખતે ધામધુમ, સત્કાર, અર્ધપાદ્યાદિક કંઈપણ કરી શકી નથી.” એમ કહી કુમારને ગળે ભેટી પડી. છુટી થઈ અર્ધાદિક મેળવવાની ખટપટ કરવા લાગી. ત્યારે કુમારે હસીને કહ્યું અતિથિ વત્સલે ! નકામી ખટપટ ન કર. તમારા આ સોહાર્દથી જ કૃતકૃત્ય છું આડંબર કરવાની જરૂર નથી.” એમ કહી તેને અટકાવી. પછી શાંત બેસી કુશળ સમાચાર પૂછવા લાગી. ખૂબ ખૂબ બધું પુછી લઈ બ્દને ! બસ, મારે આવી રીતે આટલો જ માત્ર સત્કાર કરીને બેસી રહેવું? અથવા કંઈ ખાસ સત્કાર કરવો ?'' એ પ્રમાણે મને પૂછ્યું. “સખી ! મને શું પુછે છે ? તારે કરવું હોય તેમ કરી લે. મને પૂછવાની જરૂર જ નથી. મેં તો મારો બદો અધિકાર,
SR No.022646
Book TitleTilakmanjari Katha Saransh
Original Sutra AuthorN/A
AuthorRavikantvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy