SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૭ નહીં. સાંજ પડવા આવી એટલે તે જ એલાયચીના માંડવામાં પાછો આવ્યો. તે માંડવાની સકળ શોભા જતી રહી હતી. તેમાંથી નૂર ચાલ્યું ગયું હતું. તે ચંદ્રવદના વિનાનો બારણામાં બેઠો, ને જાણે તેને તેવી જ રીતે ઉભેલી મારી નજરે જોતો હતો. ઉઠી, તળાવે ગયો. હાથપગ ધોઈ ઈષ્ટદેવનું સ્મરણ ધ્યાન કરી કંઈક ફળ મૂળાદિ ખાઈ લીધું. કેટલાક કમળો લાવી પ્રિયાના આલિંગનથી સુભગ પેલા રક્તાશોકને અડોઅડ પથારી કરી. “આ જ ચક્રસેનની પુત્રી છે” એમ નિર્ણય ન કરી શક્યો, “શરમથી કે ભયથી આ બોલતી નથી' એમ વિચારી તેને વારંવાર ન બોલાવી, રક્તાશોક પાસેથી ખસીને પાસે આવી છતાં તેનો હાથ ન ઝાલ્યો, વારંવાર સામે જોઈ જવાને રસ્તો માગ્યો, ગઈ ત્યારે પાછળ જરાએ ન ગયો. સ્પર્શ થઈ જવાના ભયથી અંગ સંકોચી બહાર નીકળતી વખતે બે હાથ પહોળા કરી તેને ગાઢ આલિંગન ન આપ્યું. પાસે થઈને ગઈ છતાં તેના લાલ અધરમણિ પર ચુંબન ન દીધું. બહાર નીકળી ઉભી રહી ત્રાંસુ જોતી જોતી ચાલી ગઈ, ત્યારે પ્રીતિવાળી છતાં ભય પામી હતી તેને ભોળપણ ગણી લીધું. ઉચિત સત્કાર ન કર્યો તેથી અપમાન લાગતાં પાછળ પાછળ ન ગયો, ખરેખર બહુ ભૂલો કરી. મારા અનેક ભવના પાપનું એ ફળ હશે ?' પથારીમાં પડ્યો પડ્યો આમતેમ આળોટ્યો. ઉષ્ણનિશ્વાસ મુકતો હતો. તેણીના અંગરાગના પરિમલેજ ઉડી જતા મારા જીવનનો બચાવ કર્યો હતો. તેના સુમૂખથી શબ્દ ન સાંભળ્યા
SR No.022646
Book TitleTilakmanjari Katha Saransh
Original Sutra AuthorN/A
AuthorRavikantvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy