SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૨૮ સાંજ પડી એટલે સાંધ્ય આવશ્યક કર્મ વિધિપૂર્વક કર્યું. પછી અગાશીમાં બેસી વાર્તા વિનોદમાં વખત ગાળ્યો. સુવાનો અવસર થયો એટલે પથારીમાં જઈ સુતો. પાસેના પલંગ પર થાકીને લોથપોઠ થઈ ગયેલ સમરકેતુને જોઈ જરા અંતઃકરણમાં દાઝયું, ને તેની મૂસાફરીનો વૃત્તાન્ત ખિન્ન એરે પૂક્યો. સમરકેતુએ બધી પોતાની વાત સંભળાવી દીધી. વાત પુરી કરી બન્ને ઉંઘી ગયા, ને સવાર પડ્યું એટલે નીચે પ્રમાણે બહાર કોઈ બોલતું હતું તે સાંભળ્યું. 'आरोहत्युदयं प्रताप इव ते तापः पतङ्गत्विषां द्रष्टुं नाथ भवन्मुखश्रियमिवोन्मलिन्ति पद्माकरा: અરે ! સવાર પડ્યું. એકદમ ઉઠ્યો, ને સૈન્ય સાથે નગરની બહાર નીકળ્યો. શહેરના પાધર પ્રદેશમાં આવેલા દેવમંદિરોમાં દર્શન કરી મુકામે પાછો આવ્યો. બપોરે વૈતાઢ્ય પર્વતની શોભા જોઈ. સ્વભાવથી જ રમણીય તે પર્વતની શોભા જોવામાં તલ્લીન થઈ ગયેલા કુમારને ઉદેશીને નગ્નાચાર્યે નીચેનો શ્લોક ગાયો. दृश्यं भूमिभृतोऽस्य देव किमिह स्कन्धस्थविद्याधर श्रेणीकस्य वहन्ति यस्य समतामन्येऽपि गोत्राचलाः । ૧. હે નાથ તારા પ્રતાપની પેઠે આ સૂર્ય ઉદય પામે છે, ને તારા મુખની શોભા જોવા આ પલો ખીલી રહ્યાં છે. ૨. હે મહારાજ ! આ પર્વતમાં શું જોવા જેવું છે ? જોકે આ પર્વત પર વિદ્યાધરો રહે છે તો પણ બીજા ઘણા પર્વતો આના જેવા શોભાયમાન છે. માત્ર જોવા જાણવા જેવો તો માત્ર તું જ છે કેજેને આ પર્વત પર રહેતા વિદ્યાધરોના રાજાઓને પોતાના ચરણમાં નમાવી એ જ પર્વત પર ઉભો છે.
SR No.022646
Book TitleTilakmanjari Katha Saransh
Original Sutra AuthorN/A
AuthorRavikantvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy